મની લોન્ડરિંગના આરોપસર ઈડી દ્વારા પકડવામાં આવેલા દિલ્હીના હેલ્થ મિનિસ્ટર સત્યૈન્દ્ર જૈનને કોર્ટે 9 જૂન સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ આપ્યો છે.
દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન 10 દિવસ રહેશે જેલમાં
કોર્ટે 9 જુન સુધી મોકલ્યાં ઈડીની કસ્ટડીમાં
સત્યેન્દ્ર જૈન પર મની લોન્ડરિંગનો આરોપ
સોમવારે ઈડીએજૈનની કરી હતી ધરપકડ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હી સરકારના પ્રધાન અને આમ આદમી પાર્ટી (આપ)ના નેતા સત્યેન્દ્ર જૈનને 9 જૂન સુધી ઇડીની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ઈડીએ જૈનને મંગળવારે રાઉજ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યાં હતા જ્યાં ઈડીએ તેમની કસ્ટડીની માગ કરી હતી જે કોર્ટે મંજૂર રાખી હતી અને તેમને 9 જૂન સુધી ઈડીની કસ્ટડીમાં સોંપી દીધા હતા. કોર્ટમાં રજૂ કરતા પહેલા ઇડીએ લગભગ છ કલાક સુધી તેમની પૂછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે સોમવારે ઈડીએ મની લોન્ડરિંગના આરોપસર સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી.
Delhi minister Satyendar Jain sent to Enforcement Directorate custody till 9th June in an alleged money laundering case
તપાસમાં સહયોગ નથી આપતા જૈન-ઈડીનો આરોપ
ઈડીનું કહેવું છે કે જૈન તેમની વિરુદ્ધ ચાલી રહેલી મની લોન્ડ્રિંગ તપાસમાં કેન્દ્રીય તપાસ એજન્સીને સહયોગ નથી આપી રહ્યા. જૈન આ કેસમાં કથિત રીતે સંડોવાયેલા હોવાનું કહેવાય છે.
અરવિંદ કેજરીવાલે સત્યૈન્દ્ર જૈનનું ભવિષ્ય ભાખ્યું હતું
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાની સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ પર પોતાનું મૌન તોડતા કહ્યું હતું કે, જૈન વિરુદ્ધ ઈડીનો કેસ સંપૂર્ણપણે નકલી અને રાજનીતિથી પ્રેરિત છે. કેજરીવાલે કહ્યું કે તેમની સરકાર અને આમ આદમી પાર્ટી ખૂબ જ પ્રામાણિક છે અને ભ્રષ્ટાચાર સહન કરતી નથી.
જૈન સામેનો ક્લોઝર રિપોર્ટ દાખલ કરાયો નથી- સીબીઆઈ
આ દરમિયાન સીબીઆઈએ પણ જણાવ્યું કે સત્યૈન્દ્ર જૈન સામેે જે કેસ દાખલ કરવામાં આવ્યો છે તેને બંધ કરાયો નથી.
No closure report filed against AAP's Satyendar Jain: CBI
કેજરીવાલને આશંકા હતી કે જૈનની ધરપકડ થશે
કેજરીવાલે કહ્યું, "મેં જૈનના કેસની તપાસ કરી છે. તે સંપૂર્ણપણે બનાવટી અને રાજકીય રીતે પ્રેરિત છે. તેમને જાણી જોઈને ફસાવવામાં આવ્યા છે. "અમને ન્યાયતંત્રમાં ઘણો વિશ્વાસ છે. જૈનો સત્યના માર્ગે ચાલી રહ્યા છે અને પાક સ્વચ્છ સાબિત થશે. જાન્યુઆરીમાં પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા કેજરીવાલે કહ્યું હતું કે, તેમને સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે સત્યેન્દ્ર જૈનની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી શકે છે.
₹1.47 કરોડની અપ્રમાણસર સંપત્તિ એકઠી કરી-ઈડીનો આરોપ
ઈડીની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના 2017ના એક કેસ પર આધારિત છે જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે આપના નેતા અને તેમની પત્ની પૂનમ જૈને ફેબ્રુઆરી 2015થી મે 2017 વચ્ચે ₹1.47 કરોડની અપ્રમાણસર સંપત્તિ એકઠી કરી હતી. આ તેમની આવકના જાણીતા સ્ત્રોતો કરતાં બમણાથી પણ વધુ હતું.