દેશમાં ઓમિક્રૉન વાયરસને કારણે ફરીથી લૉકડાઉનનાં દિવસો પાછા આવી રહ્યા છે, દિલ્હીમાં વિકેન્ડ કર્ફ્યૂ લગાવવામાં આવી રહ્યું છે.
દિલ્હીમાં લગાવાશે વિકેન્ડ કર્ફ્યૂ
શુક્રવારે રાતે 10થી સોમવાર સવારે 5 સુધી રહેશે કર્ફ્યૂ
મુંબઈમાં પણ લૉકડાઉન લગાવવાની તૈયારી
ભારતમાં કોરોના વાયરસને લઈને સતત ચિંતા વધી રહી છે ત્યારે દિલ્હી અને મુંબઈમાં લૉકડાઉન જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. આધિકારિક સૂત્રો તરફથી મળી રહેલ માહિતી અનુસાર આ જ અઠવાડિયે દિલ્હીમાં વિકેન્ડ કર્ફ્યૂ લગાવી દેવાની તૈયારી છે.
Delhi Govt likely to impose weekend curfew to curb COVID surge: Sources https://t.co/5n6ghjiHPz
ANI દ્વારા આપવામાં માહિતી અનુસાર દિલ્હીમાં ગમે ત્યારે વિકેન્ડ કર્ફ્યૂનું આધિકારિક એલાન કરવામાં આવશે. નોંધનીય છે કે આજે જ દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે અને ઓમિક્રૉન વાયરસ દિલ્હીમાં ખૂબ તેજીથી ફેલાઈ રહ્યો છે જેના કારણે ત્રીજી લહેર ચાલુ થઈ ગઈ કે તેવું નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે.
We will have to impose lockdown in Mumbai if daily COVID cases cross the 20,000-mark: Mumbai Mayor Kishori Pednekar pic.twitter.com/7AV7fMSjS0
બીજી તરફ મુંબઈમાં પણ લૉકડાઉનને લઈને મેયરે સ્પષ્ટ એલાન કરી દીધું છે. કિશોરી પેડનેકરે મોટું એલાન કરતાં કહ્યું છે કે જો દૈનિક કેસનો આંકડો 20 હજારને પાર થઈ જશે તો અમે લૉકડાઉન લગાવી દઇશું.
24 કલાકમાં 37 હજાર 379 નવા કોરોનાના મામલા
કોરોના સંક્રમણ દેશમાં તેજ સ્પીડની સાથે સતત ફેલાઈ રહ્યો છે. આ બાદ એ સવાલ થઈ રહ્યો છે કે શું કોરોનાની ત્રીજી લહેર હવે દેશમાં આવી ચૂકી છે. ગત 24 કલાકમાં 37 હજાર 379 નવા કોરોનાના મામલા સામે આવ્યા છે. જ્યારે 124 લોકોના જીવ ગયા છે. આ બાદ દેશમાં કુલ કોવિડના મામલા વધીને 3 કરોડ 49 લાખ 60 હજાર 261 થઈ ગયા છે તો મરનારની સંખ્યા વધીને 4 લાખ 82 હજાર 14 થઈ ગઈ.
સાજા થનારાની સંખ્યા 3 કરોડ 43 લાખ 6 હજાર 414 થઈ
કોરોનાના સક્રિય મામલા હવે વધીને 1 લાખ 71 હજાર 830 થઈ ગયા છે. અત્યાર સુધી કોરોના સંક્રમણથી સાજા થનારાની સંખ્યા 3 કરોડ 43 લાખ 6 હજાર 414 થઈ ગઈ છે. આ દરમિયાન રસીકરણ સ્પીડમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 146 કરોડ વેક્સીનેશન ડોઝ અપાઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના મામલા વધીને હવે 1892 થઈ ગયા છે. જો કે 766 લોકો સાજા થયા છે. એક દિવસ પહેલા સોમવારે કોરોનાના ગત 24 કલાક દરમિયાન 33 હજાર 750 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે આ દરમિયાન 123 લોકોએ જીવ ગુમાવ્યો છે.
દેશમાં સંક્રમણની ત્રીજી લહેર આવી ગઈ- એન કે અરોડા
ભારતમાં દર રોજ કોરોનાના મામલા વધી રહ્યા છે અને હવે કોરોના ટાસ્ક ફોર્સના ચીફ એન કે અરોડાએ પોતે જણાવ્યું છે કે દેશમાં સંક્રમણની ત્રીજી લહેર આવી ચૂકી છે. નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યૂનાઈઝેશનના ચેરમેન અરોડાએ એમ પણ કહ્યું કે ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટ વાળા મોટા શહેરોમાં સામે આવી રહ્યા છે.એક ન્યૂઝ ચેનલ સાથે થયેલી વાતચીતમાં ડોક્ટર એન કે અરોડાએ જણાવ્યું કે મુંબઈ, દિલ્હી અને કોલકત્તા જેવા મોટા શહેરોમાં આ તેજીથી ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોન વેરિએન્ટના 75 ટકા કેસ સામે આવી રહ્યા છે. આ વેરિએન્ટ સૌથી પહેલા દક્ષિણ આફ્રીકામાં નવેમ્બર મહિનામાં મળ્યા હતા.
અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટિવ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે જાણકારી આપી છે કે તે કોરોના સંક્રમિત થયા છે. જો કે તેમણે જણાવ્યું કે તેમનામાં બળવા લક્ષણો છે. કેજરીવાલે ટ્વીટ પર કહ્યું કે, હું કોરોના સંક્રમિત મળ્યો છું. મારામાં તેના હળવા લક્ષણો છે. હું પોતાને ઘરમાં આઈસોલેટ કરી રહ્યો છું. જે લોકો ગત કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા છે. તે કૃપર્યા કરીને પોતાને આઈસોલેટ કરે અને પોતાનો ટેસ્ટ કરાવે.