રાજધાની દિલ્હીના અનાજ મંડીમાં એક ફેક્ટરીમાં રવિવાર સવારે લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધી 43 લોકોના મોત થઇ ચૂક્યા છે. ત્યારે ઘટનાસ્થળે પહોંચેલ ફાયર વિભાગે કેટલાક લોકોને આગની ઝપેટમાંથી રેસ્ક્યૂ કર્યા. તેવામાં એક ફાયર કર્મચારીએ બિલ્ડિંગમાં ઘુસીને પોતાના જીવના જોખમે એકલા હાથે 11 લોકોના જીવ બચાવ્યા.
દિલ્હીમાં ભીષણ આગથી અત્યાર સુધીમાં 43 લોકોના થયા મોત
ફાયરવિભાગે જીવના જોખમે બચાવ્યા 11 લોકોના જીવ
દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈને ફાયર વિભાગના કર્મચારીના વખાણ કરતા તેમને રિયલ હીરો ગણાવ્યા છે. જૈને ટ્વિટ કરીને લખ્યું કે, ફાયરવિભાગના કર્મચારી રાજેશ શુક્લા અસલી હીરો છે. તેઓ પહેલા ફાયરમેન છે, જેમણે બિલ્ડિંગમાં ઘુસીને 11 લોકોના જીવ બચાવ્યા. તેમણે ઇજા પહોંચી છતા પોતાનું કામ ચાલુ રાખ્યું. હું આ બહાદુર હીરોને સલામ કરું છું.
Fireman Rajesh Shukla is a real hero. He was the first fireman to entered the fire spot and he saved around 11 lives. He did his job till the end despite of his bone injuries. Salute to this brave hero. pic.twitter.com/5aebB2XLUd
જણાવી દઇએ કે દિલ્હીના અનાજ મંડી વિસ્તારમાં રવિવાર સવારે ભીષણ આગ લાગી. ત્યારની શેરીઓ ઘણી સાંકડી છે. જે ફેક્ટરીમાં આગ લાગી હતી તે રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ચાલી રહી હતી.
મળતી માહિતી અનુસાર, આ સમગ્ર વિસ્તારમાં ગેરકાયેદસર અને નાની ફેકટરીઓથી ભરેલો છે. જેને ન તો એનઓસી મળી હતી અને ન તો આગ ઓલવવા માટે બંદોબસ્ત કરાયો હતો. આ સાંકડા વિસ્તારમાં ચોતરફ વીજળીના તાર છે.
ઘટનાસ્થળે પહોંચેલ ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું કે જ્યારે તેમને આગ લાગવાની સૂચના આપવામાં આવી તો માત્ર એ જણાવવામાં આવ્યું હતું કે એક બિલ્ડિંગમાં આગ લાગી છે. ઘટના બાદ 50થી વધુ લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા અને તેમને ચાર અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા. ફાયર સેફ્ટી વિભાગે જણાવ્યું કે આ આગ સવારે અંદાજિત 5 વાગ્યે લાગી. જેની સૂચના મળતા જ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ ગણવામાં આવી રહ્યું છે.