સિસોદિયાએ કહ્યું, અધિકારીઓને કશું મળ્યું નથી છતાં સહયોગ કરીશ
દિલ્હીના કથિત એક્સાઈઝ કૌભાંડના મામલામાં નાયબ મુખ્યમંત્રી અને AAP નેતા મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી શકે છે. CBIએ મનીષ સિસોદિયોને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. આ તપાસ સોમવારે (17 ઓક્ટોબર) થશે. આ તરફ હવે પૂછપરછને લઈને મનીષ સિસોદિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
મનીષ સિસોદિયાએ ટ્વિટર પર લખ્યું, "મારા ઘરે 14 કલાક સીબીઆઈના દરોડા, કંઈ બહાર આવ્યું નહીં. મારા બેંક લોકરની તલાશી લીધી, તેમાં કંઈ બહાર આવ્યું નહીં. તેમને મારા ગામમાં કંઈ મળ્યું નહીં. હવે તેઓએ મને કાલે 11 વાગ્યે CBI હેડક્વાર્ટરમાં બોલાવ્યો છે. છું. હું જઈશ અને મારો સંપૂર્ણ સહકાર આપીશ. સત્યમેવ જયતે."
मेरे घर पर 14 घंटे CBI रेड कराई, कुछ नहीं निकला. मेरा बैंक लॉकर तलाशा, उसमें कुछ नहीं निकला. मेरे गाँव में इन्हें कुछ नहीं मिला.
अब इन्होंने कल 11 बजे मुझे CBI मुख्यालय बुलाया है. मैं जाऊँगा और पूरा सहयोग करूँगा.
મહત્વનું છે કે, અગાઉ શુક્રવારે (14 ઓક્ટોબર) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી એક્સાઇઝ કૌભાંડ કેસમાં દરોડા પાડ્યા હતા. પીટીઆઈ અનુસાર મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે ED અધિકારીઓએ રાજધાની દિલ્હીમાં ઓછામાં ઓછા 25 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશન દિલ્હીના ઘણા મોટા દારૂના વેપારીઓના ઘરો અને અન્ય સ્થળોએ હાથ ધરવામાં આવ્યું હતું.
નોંધપાત્ર રીતે આ મની લોન્ડરિંગ કેસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા નોંધાયેલી એફઆઈઆર સાથે સંબંધિત છે, જેમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અન્યને આરોપી બનાવવામાં આવ્યા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22ના અમલીકરણમાં કથિત અનિયમિતતાઓની CBI તપાસની ભલામણ કરી હતી. આ મામલામાં લેફ્ટનન્ટ ગવર્નરે 11 એક્સાઈઝ અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા હતા. ત્યારથી આ યોજના તપાસ હેઠળ છે.