દિલ્હીમાં ગુરુવારે વધુ 1041 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારે અરવિંદ કેજરીવાલે કહ્યું કે સરકાર પ્લાઝમા મફત આપી રહી છે કોઈએ ખરીદવા કે વેચવાની જરુર નથી. જો કોઈ એમ કરશે તો તેમની સામે પગલા ભરવામાં આવશે.
હોસ્પિટલમાં સ્ટોકમાં 500 થી વઘારે પ્લાઝ્મા છે
કોઈએ પ્લાઝ્મા ખરીદવા કે વેચવાની જરુર નથી
પ્લાઝ્મા માટે પૈસાની લેવડ દેવડ કરે છે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે
ગુરુવારે અહીં કોરોનાગ્રસ્તની સંખ્યા 1,27,364 થઈ ગઈ છે. આ ઉપરાંત મૃત્યુઆંક 3745 પહોંચી ગયો છે. સીએમ કેજરીવાલે કહ્યું હતું કે અમે લોકોને પ્લાઝ્મા મફત આપી રહ્યા છીએ અમારી પાસે આઈએલબીએસ હોસ્પિટલમાં સ્ટોકમાં 500 થી વઘારે પ્લાઝ્મા છે. જેથી કોઈએ પ્લાજમા ખરીદવા કે વેચવાની જરુર નથી.
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને બુધવારે કહ્યું કે જો કોઈ વ્યક્તિ કોરોનાના દર્દીને પ્લાઝ્મા આપવા માટે પૈસાની લેવડ દેવડ કરે છે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સોમવારે નવા કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. જે 954 થઈ ગયા હતા. બીજા દિવસે તે વધી 1349 થયા હતા. દિલ્હીમાં ગત 24 કલાકમાં 26 લોકોના મોત નિપજ્યા છે. 11થી 19 જુલાઈ દરમિયાન રોજના 1 હજારથી 2 હજારની વચ્ચે કોરોનાના કેસ આવે છે.
ગુરુવાર સુધીના કોરોનાની સારવાર લેનારાની સંખ્યા 14,554 થઈ ગઈ છે.જે બુધવારે 14594 હતી. 23 જૂને સૌથી વઘારે કેસ આવ્યા હતા. અહીં મરનારની સંક્યા વધીને 3745 થઈ ગઈ છે. પરંતુ કુલ કેસની સંખ્યા 1,27364 સુધી પહોંચ્યા છે. 1,09,065 લોકો સાજા થઈ ગયા છે. જ્યારે 8,89,597 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે.