દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે રાજધાની દિલ્હીમાં હજુ પણ કોરોના વાયરસના સંક્રમણની ત્રીજી લહેર ચાલી રહી છે. તેઓએ કહ્યું કે હવે ત્રીજી લહેરના અંતની શરૂઆત થઈ છે અને પોઝિટિવિટી રેટ પણ ઘટ્યો છે. તેઓએ કહ્યું કે રાજધાનીમાં હવે લોકડાઉનની જરૂર રહી નથી.
રાજધાનીમાં હવે લોકડાઉનની જરૂર નથીઃ સ્વાસ્થ્ય મંત્રી
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેર ચાલી રહી છે. તેઓએ કહ્યું કે હવે ત્રીજી લહેર ખતમ થતાં પોઝિટિવિટી રેટમાં ઘટાડો થયો છે. તેઓએ કહ્યું કે રાજધાનીમાં લોકડાઉનની જરૂર નથી.
સત્યેન્દ્ર જૈન કહ્યું કે દિલ્હીમાં ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી છે એટલે કેસમાં વધારો જોવા મળે છે. રાજધાનીમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે અને પીક પણ ખતમ થયો છે. પોઝિટિવિટી રેટ 15થી 13ની વચ્ચે આવ્યો છે. તેઓએ કહ્યું કે દિલ્હીમાં કોરોનાના વધારે કેસ સામે આવી રહ્યા છે. અનેક લોકો ખોટું સરનામું આપી રહ્યા છે. એક અઠવાડિયામાં સ્થિતિ સામાન્ય થવાની આશા છે.
पिछले एक हफ्ते के अंदर पॉजिटिविटी दर 15% से घटकर 13% हो गई है। ये थर्ड वेव जरूर है लेकिन पीक अब जा चुका है। दिल्ली में मृत्यु दर 1.58% है जो कि राष्ट्रीय औसत मृत्यु दर 1.48% के पास है: दिल्ली के स्वास्थ्य मंत्री सत्येंद्र जैन pic.twitter.com/1tYdLS00Mq
દિલ્હીમાં કોરોનાના એક જ દિવસમાં 3797 કેસ નોધાયા છે. આ સાથે જ એક જ દિવસમાં દિલ્હીમાં કોરોનાથી 99 લોકોના મૃત્યુ થયા છે. દિલ્હીમાં કોરોનાના કેસ વધતા અન્ય રાજ્યોમાંથી તબીબો બોલાવવામાં આવ્યા છે. દિલ્હીમાં ફરી લોકડાઉન લગાવવાનો કેજરીવાલ સરકારનો ઈન્કાર પણ જાણવા મળ્યો છે. આ સિવાય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે લોકડાઉનથી કોરોના પર કાબૂ મેળવી શકાશે નહીં. આ સાથે જ દિલ્હીમાં હાલમાં 16 હજાર બેડ ખાલી છે અને રોજના 50-60 હજાર ટેસ્ટ થઈ રહ્યા છે. અન્ય રાજ્યના લોકો પણ દિલ્હીમાં સારવાર લઈ રહ્યા છે.