મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત રવિવારથી લથડી છે. તેમને ખાંસી અને તાવની ફરિયાદ છે. આ કારણે હવે સીએમ અરવિંદ કેજરીવાલનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. પોતાની ખરાબ તબિયતના કારણે તેઓએ પોતાને રવિવારની સાંજથી આઇસોલેટ કર્યા છે.
આજે થશે મુખ્યમંત્રી કેજરીવાલનો કોરોના ટેસ્ટ
ખાંસી અને તાવની ફરિયાદને લઈને તબિયત બગડી
રવિવાર સાંજથી પોતે જ થયા આઈસોલેટ
आज दिल्ली में 1007 #COVID19 मामले सामने आए और 17 मौतें हुईं। राष्ट्रीय राजधानी में कुल मामलों की संख्या अब 29943 है, जिसमें 17712 सक्रिय मामले, 11357 ठीक / विस्थापित / पलायन और 874 मौतें शामिल हैं :दिल्ली स्वास्थ्य विभाग pic.twitter.com/MhIlnsd71b
દિલ્હીમાં કોરોનાની સ્થિતિ સતત બગડી રહી છે. તેની અસર મુખ્યમંત્રી સુધી પણ પહોંચી છે. સીએમ અરવિંદ કેજરીવાલમાં પણ કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યા છે. ત્યારબાદ તેઓએ રવિવારે સાંજે પોતાને જ આઈસોલેટ કર્યા છે. આજે તેમનો કોરોના ટેસ્ટ થશે. કોરોનાની અસરથી મુખ્યમંત્રી પણ બાકાત નથી. અરવિંદ કેજરીવાલની ખાંસી અને તાવની તકલીફને લઈને આજે તેમનો ટેસ્ટ કરાશે.
કેજરીવાલે કેન્સલ કરી તમામ મીટિંગ્સ
સીએમ અરવિંદ કેજરીવાલની તબિયતને લઈને અનેક નેતાઓ તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. બીજેપીના અધ્યક્ષ આદેશ ગુપ્તા અને દોસ્ત કુમાર વિશ્વાસે પણ તેમના જલ્દી સાજા થવાની કામના કરી છે. કેજરીવાલે તેમની દરેક મીટિંગ્સ કેન્સલ કરી છે અને પોતાને આઈસોલેટ કર્યા છે.
દિલ્હીમાં આવી છે કોરોનાની સ્થિતિ
દિલ્હીમાં કોરોનાનો આંક સતત વધી રહ્યો છે. લગભગ 29 હજાર દર્દીઓ હાલમાં સંક્રમિત છે. મોતનો આંક 800ને પાર પહોંચ્યો છે. સરકારે દાવો કર્યો છે કે 15 દિવસમાં બેડની સંખ્યા વધારીને ડબલ કરી દેવાશે.