ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નીતિ આયોગની બેઠક પૂર્ણ થતા નવી દિલ્હી સ્થિત એઇમ્સમાં સારવાર લઈ રહેલા પૂર્વ પ્રધાનમંત્રી અને વરિષ્ઠ અગ્રણી અટલ બિહારી વાજપેયીજીના ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. અટલબિહારી વાજપેયીજી 11 જૂન થી એઇમ્સ માં સારવાર હેઠળ છે. મુખ્યમંત્રી એ વાજપેયીજીના સારા સ્વાસ્થ્યની શુભકામના આ તકે કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન અને ભાજપના નેતા વિજય રૂપાણી મોડી સાંજે દિલ્હી જવા રવાના થતા ગુજરાતના રાજકારણમાં કેટલીય ચર્ચાઓનો દોર શરૂ થયો હતો. આ ચર્ચાઓમાં ખાસ કરીનો ગુજરાતના મુખ્યપ્રધાન બદલાશે કે શું...? તે પ્રથમ સ્થાને હતી. જો કે CM રૂપાણી આજરોજ યોજાનાર નીતિ આયોગની ખાસ બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીની તેમની આ મુલાકાતમાં તેઓ પક્ષના દિગ્ગજ નેતાઓને પણ મળ્યા હતા.
During his visit to New Delhi Gujarat CM Shri vijayrupanibjp today called on the former Prime Minister Shri Atal Bihari Vajpayee at the All India Institute of Medical Sciences. (AIIMS) and enquired about his well-being pic.twitter.com/rhF4M0r2hS
જો કે તાજેતરમાં પ્રાપ્ત થયેલ સમાચાર મુજબ મુખ્યપ્રધાન રૂપાણી ભાજપના દિગ્ગજ નેતા અને દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇના ખબર-અંતર પૂછવામાંટે દિલ્હી સ્થિત એઇમ્સ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે અટલ બિહારી વાજપાઇ ઝડપથી સાજા થાય તેવી કામનાઓ પાઠવી હતી.
આપને જણાવી દઇએ કે અટલ બિહારી વાજપાઇ નાદુરસ્ત તબિયતને કારણે હાલ દિલ્હી એઇમ્સ ખાતે સારવાર લઇ રહ્યા છે. આજે તેમના ખબર-અંતર પૂછવા માટે વિજય રૂપાણી સહિત આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડું પહોંચ્યા હતા.