ખભાની ઈજાને કારણે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર આઈપીએલ 2021 ની આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે.
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરને ખભાની ઈજા
આઈપીએલ 2021 ની આખી સીઝનમાંથી બહાર થઈ ગયો
દિલ્હી કેપિટલ્સે શ્રેયસ અય્યરને 7 કરોડ આપશે
ખભાની ઈજાને કારણે શ્રેયસ અય્યર આ વખતે આઈપીએલની એક પણ મેચ રમી શકે તેવી હાલતમાં નથી.તેમ છતાં પણ તેની ટીમ દિલ્હી કેપિટલ્સે ઉદારતા દાખવી છે.દિલ્હી કેપિટલ્સે શ્રેયસ અય્યરને 7 કરોડમાં ખરીદ્યો હતો અને હવે ટીમે ન રમવા છતાંય તેને તેની ફી 7 કરોડ આપવાની જાહેરાત કરી દીધી છે. અય્યરને ભારત ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વનડે સિરિઝની પહેલી મેચમાં ફિલ્ડિંગ દરમિયાન ઈજા પહોંચી હતી. ત્યાર બાદ તેને આરામ અપાયો હતો.
8 એપ્રિલે તેના ખભાની સર્જરી થઈ રહી છે
બીસીસીઆઈના જણાવ્યાનુસાર 8 એપ્રિલે તેના ખભાની સર્જરી થઈ રહી છે તેને કારણે તે આઈપીએલમાં મેચમાં રમવા ફીટ નહીં હોય. શ્રેયસ અય્યરને બીસીસીઆઈની વીમા પોલીસી હેઠળ આખો પગાર મળશે. 2011 ની આ નીતિ અનુસાર જે કોઈ પણ ખેલાડી ઈજાને કારણે આઈપીએલની સિઝનમાંથી બહાર રહે તો તેને પૂરી ફી ચૂકવવામાં આવે છે. નેશનલ ડ્યુટી કરતી વખતે પણ કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય અથવા તો તેની સાથે કોઈ દુર્ઘટના ઘટે તો પણ પૂરો પગાર મળતો હોય છે.
શ્રેયસ અય્યર દિલ્હી કેપિટલ્સનો મુખ્ય ખેલાડી
શ્રેયસ અય્યર દિલ્હી કેપિટલ્સનો મુખ્ય ખેલાડી રહ્યો છે. અય્યરે આઈપીએલની 79 મેચમાં રમી ચૂક્યો છે તથા તેણે 2200 રન બનાવ્યાં છે. 26 વર્ષીય અય્યર યુએઈમાં રમાયેલી આઈપીએલ 2020 માં દિલ્હી કેપિટલ્સ માટે સર્વાધિક રન બનાવનાર બીજા ખેલાડી હતો.