કેપ્ટન કોહલીની આગેવાનીમાં ભારતે ઘણા વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે અને કોહલી પોતે દુનિયામાં અમુક શ્રેષ્ઠ બેટ્સમેનમાં એક છે તે વાતમાં કોઈ બેમત નથી. પરંતુ હવે તેમની કેપ્ટનશીપ પર વિવાદ શરુ થઇ ગયો છે. ટીમ ઈન્ડિયાના યુવા ક્રિકેટર ઋષભ પંતને એક પણ મેચમાં સામેલ ન કરવા મુદ્દે કોહલીની કેપ્ટનશીપ પર સવાલ કરવામાં આવી રહ્યા છે.
રવિચંદ્રન અશ્વિન અને ઋષભ પંતને ટીમમાં સામેલ ન કરવા મુદ્દે પાર્થે ઉઠાવ્યા સવાલ
ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે ટેસ્ટ સીરીઝ બાકી
ઋષભ પંત દિલ્હી કેપિટલ્સના ખેલાડી
ન્યૂઝીલેન્ડનાં પ્રવાસ પર ભારતીય ટીમને ટી 20 સીરીઝમાં ભવ્ય જીત મળી અને વન ડે સીરીઝમાં કારમી હાર. હવે બંને ટીમ વચ્ચે ટેસ્ટ સીરીઝ થશે. યુવા વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતને T 20 અને વન ડે બંને સીરીઝમાં સ્થાન મળ્યું નથી. હવે આ મુદ્દે લોકો ખુલીને વાત સામે મુકવાની શરૂઆત કરી દીધી છે. આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સના સહમાલિક પાર્થ જિંદલે વિરાટ કોહલીની કેપ્ટનશીપ પર જ સવાલ ઉભા કર્યા છે. નોંધનીય છે ઋષભ પંત દિલ્હી કેપિટલ્સનો જ હિસ્સો છે.
દિલ્હી કેપિટલ્સના સહમાલિકે ઉઠાવ્યા સવાલ
And why carry @RishabhPant17 only for him to warm the bench? Surely he would have benefited from paying against New Zealand A or domestic cricket? To see a player as talented as him not play the 5th T20 and now the 3rd ODI makes no sense #Xfactor
પાર્થ જિંદલે ટ્વીટ કરીને કહ્યું કે ઋષભ પંતને ખાલી બેંચ પર બેસી રહેવા માટે જ ન્યૂઝીલેન્ડ લઇ ગયા હતા? એના કરતા તો પંત ન્યૂઝીલેન્ડ A સામે રમ્યો હોત તો પણ સારું હોત. પંત જેવા પ્રતિભાશાળી ખેલાડીને ટીમમાં સામેલ ન કરવાનો કોઈ મતલબ નથી. સામન્ય રીતે નેશનલ ટીમની પસંદગીની પ્રક્રિયા પર આઈપીએલની ટીમના લોકો સવાલ નથી ઉઠાવતા એવામાં પાર્થે ઋષભ પંત મુદ્દે બળાપો કાઢતાં ચકચાર મચી ગઈ છે.
Don’t know why @ashwinravi99 is not in this team! There seems to be an aversion to wicket takers! After white washing the kiwis in T20’s the Kiwis showing India that the semi final victory in the World Cup was no fluke. India needs wicket takers and players with X factor
ઋષભ પંત સિવાય રવિચંદ્રન અશ્વિન મુદ્દે પણ સવાલ ઉભા કર્યા
પાર્થ જિંદલે ઋષભ પંત સિવાય રવિચંદ્રન અશ્વિન મુદ્દે પણ સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે હું નથી જાણતો કે અશ્વિન ટીમમાં કેમ નથી. એવું લાગે છે કે વિકેટ લેતા ખેલાડીઓનો વિરોધ કરવામાં આવે છે. ટી 20 સીરીઝમાં સૂંપડા સાફ થયા બાદ ન્યૂઝીલેન્ડની ટીમે વન ડેમાં જીત નોંધાવી છે બતાવી દીધું કે વર્લ્ડ કપ સેમીફાઈનલમાં તેને મળેલી જીત કોઈ તુક્કો નથી. ભારતને વિકેટ લેતા ખેલાડીઓ અને એક્સ ફેકટરની જરૂર છે.