દિલ્હીના જામિયા વિસ્તારમાં થયેલી ફાયરિંગ પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે કેન્દ્ર સરકાર આ પ્રકારની કોઇપણ ઘટના ચલાવી નહીં લે. અમિત શાહે ગુરુવારે ટ્વિટ કરી કહ્યું કે, આજે દિલ્હીમાં ફાયરિંગની ઘટના બની છે તેના પર મેં દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વાત કરી છે અને તેમને કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.
દિલ્હીના જામિયા વિસ્તારમાં પોલીસની સામે ફાયરિંગ યુવકનું ફાયરિંગ
ફાયરિંગની ઘટના પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નિવેદન આપ્યું
અમિત શાહે કહ્યું, કેન્દ્ર સરકાર આ પ્રકારની કોઇપણ ઘટનાને ચલાવી લેશે નહીં
અમિત શાહે કહ્યું કે, કેન્દ્ર સરકાર આ પ્રકારની કોઇપણ ઘટનાને ચલાવી લેશે નહીં. તેના પર ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવશે અને દોષિતને છોડવામાં આવશે નહીં.
નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC)ના વિરોધમાં ગુરુવારે દિલ્હીના જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીથી રાજઘાટ સુધી માર્ચ દરમિયાન એક યુવકે ફાયરિંગ કર્યું હતું.
જામિયા વિસ્તારમાં એક યુવક દ્વારા ફાયરિંગ કરવાથી એક વિદ્યાર્થી ઘાયલ થઇ ગયો. ઘાયલ વિદ્યાર્થીની ઓળખ શાદાબ બતાવાઇ રહી છે. તે જામિયા મિલિયા યુનિવર્સિટીમાં માસ કોમ્યુનિકેશનનો વિદ્યાર્થી છે.
બીજી તરફ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દિલ્હીના જામિયા વિસ્તારમાં થયેલી ફાયરિંગને લઇને મોદી સરકાર પર હુમલો બોલ્યો. પ્રિયંકા ગાંધીએ ગુરુવારે ટ્વિટ કરી કહ્યું કે, જ્યારે બીજેપી સરકારના મંત્રી અને નેતા લોકોને ગોળી મારવા ઉશ્કેરશે, ભડકાઉ ભાષણ આપશે ત્યારે આ સૌ થવું શક્ય છે.
તેઓએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબ આપવો જોઇએ કે તેઓ કેવી દિલ્હી બનાવવા માંગે છે. તેઓ હિંસા સાથે ઉભા છે અથવા અહિંસાની સાથે? તેઓ વિકાસની સાથે ઉભા છે કે અરાજકતાની સાથે?