બ્રેકિંગ ન્યુઝ
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
VTV / delhi AIIMS denied admitting rjd chief lalu yadav says get treatment in ranchi
Dhruv
Last Updated: 01:59 PM, 23 March 2022
વીરેન્દ્રએ કહ્યું કે, 'ભાજપના દબાણમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને RJD પ્રમુખ લાલુ યાદવને હોસ્પિટલમાં દાખલ કરવાની ના પાડી દીધી છે.'
એ પહેલાં ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલુ યાદવને મોડી સાંજે રાંચીથી એર એમ્બ્યુલન્સ દ્વારા નવી દિલ્હી લાવવામાં આવ્યા હતાં અને રાત્રે એમ્સ ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યાં. ત્યારે હવે એવું સામે આવી રહ્યું છે કે, AIIMSએ લાલુ યાદવને વોર્ડમાં ન મોકલ્યા અને આજે સવારે 3.30 વાગે રજા આપી દીધી. જો કે, AIIMSના સૂત્રોએ જણાવ્યું કે, તપાસમાં લાલુ યાદવ સ્વસ્થ જણાયા હતાં.
મેડિકલ બોર્ડની બેઠકમાં લાલુ પ્રસાદ યાદવને દિલ્હી મોકલવાનો નિર્ણય લેવાયો હતો
એ પહેલાં રાંચીમાં આવેલ રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (RIMS) મેડિકલ બોર્ડની બેઠકમાં મંગળવારે લાલુ પ્રસાદ યાદવને દિલ્હી મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. RIMSના ડાયરેક્ટર ડૉ. કામેશ્વર પ્રસાદે કહ્યું હતું કે, લાલુ યાદવની તબિયત બગડી રહી છે અને તેમના હૃદય અને કિડનીને અસર થઈ છે. આથી, તેમને વધુ સારી સારવાર માટે એઈમ્સ દિલ્હી મોકલવામાં આવ્યાં હતાં. RIMS બોર્ડે શોધી કાઢ્યું હતું કે, લાલુ યાદવનું ક્રિએટિનિન લેવલ વધી રહ્યું છે અને તેઓ તેને નિયંત્રિત કરવામાં અસમર્થ છે.
તેમની કિડની માત્ર 15-20 ટકા ક્ષમતા સાથે કામ કરી રહી છે : ડોક્ટર વિદ્યાપતિ
ડોક્ટર વિદ્યાપતિએ જણાવ્યું હતું કે, લાલુ યાદવ બ્લડ સુગર, બ્લડ પ્રેશર, હૃદય રોગ, કિડનીની બીમારી, તણાવ, થેલેસેમિયા, પ્રોસ્ટેટ વૃદ્ધિ, યુરિક એસિડ વધવા અને મગજને લગતી બીમારીઓથી પીડિત છે. માત્ર એટલું જ નહીં, લાલુ નબળી રોગપ્રતિકારક શક્તિ, જમણા ખભાના હાડકામાં દુ:ખાવો, પગના હાડકામાં સમસ્યા અને દ્રષ્ટિની ખામીથી પણ પરેશાન છે. ડૉ. વિદ્યાપતિએ જણાવ્યું હતું કે, તેમની કિડની માત્ર 15-20 ટકા ક્ષમતા સાથે કામ કરી રહી છે.
RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની બગડતી તબિયતને ધ્યાનમાં રાખી RIMS મેનેજમેન્ટ દ્વારા બનાવવામાં આવેલા મેડિકલ બોર્ડે મંગળવારે ઈમરજન્સી બેઠક યોજી હતી. જેમાં લાલુના મુખ્ય ડૉક્ટર ડૉ. વિદ્યાપતિની સાથે RIMS નાં ડિરેક્ટર અને સુપરિન્ટેન્ડેન્ટ પણ હાજર હતાં. ડૉક્ટરોએ આ નિર્ણયની જાણ જેલ પ્રબંધનને કરી, જેમણે લાલુને ઉતાવળમાં દિલ્હી લઈ જવાની મંજૂરી આપી દીધી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army