મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે શુક્રવારે રાતે રાજીનામુ આપ્યા બાદ જાણો શું કહ્યું અને શું કર્યું.
રાજ્યપાલે તીરથ સિંહને નવા સીએમ મળવા સુધી પદ પર રહેવા કહ્યું
સંવિધાનિક સંકટ હતુ માટે રાજીનામુ આપ્યુ- તીરથ સિંહ
ભાજપ અધ્યક્ષ મદન કૌશિકે રાજીનામા પર પ્રતિક્રિયા આપી
રાજ્યપાલે તીરથ સિંહને નવા સીએમ મળવા સુધી પદ પર રહેવા કહ્યું
મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે શુક્રવારે રાતે પોતાના સહયોગી મંત્રીઓ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિકની સાથે રાજ્યપાલ બેબી રાની મૌર્યની સાથે મુલાકાત કરી અને પોતાનું રાજીનામુ સોંપ્યુ છે. ગણતરીની મિનીટોમાં જ સમેટાઈ ગઈ ઔપચારિક મુલાકાતમાં રાજ્યપાલે મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતને નવા મુખ્યમંત્રી પસંદ થવા સુધી પોતાના પદ પર બન્યા રહેવા કહેવામાં આવ્યું છે.
સંવિધાનિક સંકટ હતુ માટે રાજીનામુ આપ્યુ- તીરથ સિંહ
રાજીનામુ આપ્યા બાદ તેમણે કહ્યુ કે રાજ્યપાલને ત્યાં રાજીનામું આપીને આવી રહ્યો છું. સંવિધાનિક સંકટ હતુ. એ કારણથી મે રાજીનામુ આપી દેવાનું યોગ્ય સમજ્યું. હું કેન્દ્રીય નેતૃત્વનો આભારી છુ. ધન્યવાદ કરવા માંગુ છુ. નેતૃત્વએ મને સમય સમય પર વિભિન્ન જવાબદારી આપી. હું હૃદયથી પીએમ મોદી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય વરિષ્ઠ નેતાઓનો આભારી છુ. કોવિડ પોઝિટિવ હોવાના કારણે સમય નહોંતો.
ભાજપ અધ્યક્ષ મદન કૌશિકે રાજીનામા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ...
ઉત્તરાખંડ ભાજપ અધ્યક્ષ મદન કૌશિકે રાજીનામા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ચૂક નથી કેમ કે કોવિડની પરિસ્થિતિ ન હોય તો ચૂંટણી આયોગ ચૂંટણી કરાવે છે. સંવૈધાનિક સંસ્થાએ કોઈ નિર્ણય કર્યો છે તો તેનું સન્માન કરવું જોઈએ. આવી સ્થિતિમાં અનેક વાર ચૂંટણી થઈ છે પરંતુ કોવિડની સ્થિતિના કારણે જે નિર્ણય ચૂંટણી આયોગે કહ્યો છે તેનું પાલન કરો.
રાજીનામાં બાદ તીરથ સિંહે મૌન ધારણ કર્યુ
આની પહેલા તેમણે મીડિયાને સંબોધિત કરી. તેની સાથે સુબોધ ઉનિયાલ, અરવિંદ પાંડે, ધારાસભ્ય રાજેશ શુક્લા પણ હતા. આ ઉપરાંત મુખ્ય સચિવ ઓમપ્રકાશ, મુખ્ય સલાહકાર શત્રુદ્ધ સિંહ પર પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા. સીએમ તીરથે મીડિયાની સામે પોતાની ઉપલબ્ધિ ગણાવી અને અનેક મોટી જાહેરાતો કરી હતી. જો કે હવે રાજીનામાં બાદ મૌન ધારણ કર્યુ છે.