બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:33 AM, 30 July 2020
એર ચીફ માર્શલ (સેવાનિવૃત્ત) ધનોઆએ કહ્યું કે મે ડીલનો બચાવ એટલા માટે કર્યો હતો કે હું નહોતો ઇચ્છતો કે આ બોફર્સના રસ્તા પર જાય. આપણે રક્ષા ખરીદ પ્રક્રિયાના રાજનીતિકરણ વિરુદ્ધ હતા. આ વાયુસેનાની ક્ષમતાનો સવાલ હતો.
ADVERTISEMENT
NDA સરકારે 23 સપ્ટેમ્બર, 2016ના રોજ ફ્રાંસની એયરોસ્પેસ કંપની ધસાલ્ટ એવિએશનની સાથે 36 લડાકૂ વિમાન ખરીદવા માટે 59,000 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. જેના અંદાજે ચાર વર્ષ બાદ ભારતને બુધવારે પાંચ રાફેલ લડાકૂ વિમાન મળ્યાં.
ધનોઆએ કહ્યું, હું ભારતીય વાયુસેના માટે ઘણો ખુશ છું, કારણ કે રાફેલ એરક્રાફટે વાયુસેનાની શક્તિમાં વધારો કર્યો છે. ઉલ્લેખનીય છેકે ધનોઆ પછી ગત વર્ષે સપ્ટેમ્બરમાં વાયુસેનાની કમાન રાકેશ કુમાર સિંહ ભદોરિયાએ સંભાળી છે.
ADVERTISEMENT
એર ચીફ માર્શલ (સેવાનિવૃત્ત) અરુપ સાહાએ કહ્યું કે રાફેલનો વાયુસેનામાં સામેલ થવા પર તેની શક્તિમાં વધારો થયો, પરંતુ દેશને ઓછામાં ઓછા 126 રાફેલની જરૂરિયાત છે, જેની કલ્પના પહેલા કરવામાં આવી હતી. તેમના કાર્યકાળમાં આ ડીલ થઇ હતી.
સાહાએ કહ્યું કે આ એક સારુ વિમાન છે. આ હાલના તબક્કાનું સર્વશ્રેષ્ઠ વિમાનમાંનું એક છે. આ હવાઇ ક્ષેત્રમાં શક્તિ મામલે વાયુસેનાની ક્ષમતાઓને વધારાવા જઇ રહ્યું છે. આપણને આ પ્રકારના કુલ ઓછામાં ઓછા 126 વિમાનની જરૂરિયાત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.