સમુદ્રમાં ભારતની તાકાત વધુ વધે તે માટે ભારતીય નેવી હવે ઘણું મોટું પગલું લેવા જઈ રહી છે
આ મંજૂરી રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાયેલ પરિષદમાં આપવામાં આવી
ભારતની આ બે કંપનીઓને આપવામાં આવ્યો છે પ્રોજેક્ટ
ચીનની હરકતો ભારત માટે વધારી શકે છે ચિંતા
આ મંજૂરી રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાયેલ પરિષદમાં આપવામાં આવી
સમુદ્રમાં ભારતની તાકાત વધુ વધે તે માટે ભારતીય નેવી હવે ઘણું મોટું પગલું લેવા જઈ રહી છે. રક્ષા મંત્રાલયે ભારતીય નેવીને લગભગ 6 સબમરીન તૈયાર કરવાની મંજૂરી આપી દીધી છે. જેની કિંમત 50 હજાર કરોડ રૂપિયા થઈ રહી છે. ખાસ વાત એ છે કે આ બધી જ સબમરીન ભારતમાં જ તૈયાર કરવામાં આવશે. ચીનની સમુદ્રી તાકાત વધતી હોવાને કારણે ભારતીય નેવીને 6 સબમરીન બનાવવાની મંજૂરી આપી દીધી છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ આ મંજૂરી રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાયેલ પરિષદમાં આપવામાં આવી હતી. આ પરિષદ DAC ના નામે ઓળખાય છે.
ભારતની આ બે કંપનીઓને આપવામાં આવ્યો છે પ્રોજેક્ટ
તમને જણાવી દઈએ કે DCA એ એવી સંસ્થા છે જે ભારતીય રક્ષા સેના માટે કયા કયા સાધનો ખરીદવા તેનો નિર્ણય લે છે. પ્રોજેક્ટ 75- l હેઠળ આ સબમરીનનું નિર્માણ કરવાનું છે. જેની મંજૂરી ઘણા સમયથી અટકી પડી હતી. અને શુક્રવારે જ રક્ષા મંત્રીએ આ સબમરીન માટે મંજૂરી આપી દીધી. આ પ્રોજેક્ટ ભારતની કંપની L & T અને મજગાંવ ડોક્સ લિમિટેડને આપવામાં આવ્યું છે. આ બંને કંપનીઓ વિદેશી કંપનીઓ સાથે ભેગા મળીને આ પ્રોજકટ પૂર્ણ કરશે.
ચીનની હરકતો ભારત માટે વધારી શકે છે ચિંતા
કોલંબો પોર્ટ સિટી ભારતની ઘણી નજીક છે. તેવામાં અહીં ચીનનો અડ્ડો જમાવવો ભારત માટે ચિંતાનો વિષય છે. ચીન આ પ્રોજેક્ટ તરફ ઝડપથી આગળ વધી રહ્યુ છે. આની પહેલા શ્રીલંકા સરકારે 2019માં નક્કી કરેલ ભારત- જાપાન અને શ્રીલંકાના ટ્રાન્સશિપમેન્ટ પ્રોજેક્ટને રદ્દ કરી દીધો હતો. જેમાં ભારત અને જાપાનના 49 ટકા શેર હતા.