અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં ફિલ્મ ગહરાઈયામાં દેખાઈ છે. ફિલ્મમાં દીપિકાના કામના વખાણ કરવામાં આવ્યાં છે. તો હાલમાં દીપિકાનો એક કેન્ડિડ ઈન્ટરવ્યુ પણ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં દીપિકાએ પોતાને આપવામાં આવેલી સારી અને ખરાબ સલાહ અંગે ખુલાસો કર્યો છે.
દીપિકાનો એક કેન્ડિડ ઈન્ટરવ્યુ પણ ખૂબ વાયરલ થયો
દીપિકાએ આ ઈન્ટરવ્યુમાં ચોંકાવનારા ખુલાસા કર્યા
સારું છે કે મેં સ્તન ઈમ્પ્લાન્ટ કરાવ્યાં નથી
મને કોઈએ સ્તન ઈમ્પ્લાન્ટ કરાવવાની આપી હતી સલાહ: દીપિકા
અભિનેત્રીએ જણાવ્યું છે કે જ્યારે તે અંદાજે 18 વર્ષની હતી ત્યારે તેને કોઈએ સલાહ આપી હતી કે તે પોતાના સ્તન ઈમ્પ્લાન્ટ કરાવી લે. દીપિકા મુજબ આ તેમના જીવનમાં અત્યાર સુધીની સૌથી ખરાબ સલાહ હતી. દીપિકા પાદુકોણે 21 વર્ષની ઉંમરમાં વર્ષ 2007માં આવેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમમાંથી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. ફરાહ ખાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં હતા. ઈન્ટરવ્યુમાં દીપિકાએ એવુ પણ જણાવ્યું કે શાહરૂખ ખાન તેમને સારી સલાહ આપે છે.
શાહરૂખ ખાન મને સારી સલાહ આપે છે: દીપિકા
આવી એક સલાહનો ઉલ્લેખ કરીને દીપિકા કહે છે, શાહરૂખ સારી સલાહ આપે છે અને મને તો તેમની પાસેથી ઘણી વખત સલાહ મળી છે. સૌથી સારી સલાહ તેમણે મને આપી હતી કે હંમેશા એવા લોકો સાથે કામ કરો જેની સાથે કામ કરીને તમને સારું લાગે. કારણકે ફિલ્મ બનાવતા સમયે તમે પોતાનુ જીવન પણ જીવતા હોવ છો. યાદો પણ બનાવતા હોય છે અને અનુભવ પણ બનાવતા હોવ છો. દીપિકા મુજબ તે પોતાને નસીબદાર માને છે, જેણે સ્તન ઈમ્પ્લાન્ટ કરાવ્યાં નથી. ઉલ્લેખનીય છે કે દીપિકા ઘણી શાનદાર ફિલ્મો જેવી- યે જવાની હૈ દીવાની. ચેન્નઈ એક્સપ્રેસ, હેપ્પી ન્યુ યર, બાજીરાવ મસ્તાની અને પદ્માવત વગેરેમાં લીડ રોલમાં જોવા મળી છે.