સુરતમાં કોઝવે પર સેલ્ફી લેવા જતા ચાર યુવકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં 2 યુવકોના મોત થયા હતા અને બે યુવકોને 108 ટીમ દ્વારા બચાવી લેવાયા હતા. જોકે સમગ્ર ઘટનાને પગલે લોકોના ટોળે-ટોળે ઉમટી પડયા હતા. આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. પવિત્ર રમઝાન માસમાં નમાજ અદા કર્યા બાદ મિત્રો કોઝવેમાં ફરવા ગયા હતા. સેલ્ફી લેતા એક મિત્રનો પગ નદીમાં પડયો હતો. જેણે બચાવવા ત્રણ મિત્રો નદીમાં પડયા હતા. રમઝાન માસમાં બંને પરિવારમાં માતમ છવાયો હતો.
ઉલ્લેખનીય છે કે આ ઘટના અંગેની જાણ નજીકના ફાયરવિભાગને કરવામાં આવતા ડૂબેલા બે યુવાનોની ફાયરવિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ જે બે યુવાનોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. તેઓની હાલત પણ ગંભીર છે. જો કે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.
આપને જણાવી દઇએ કે પવિત્ર રમઝાન માસમાં નમાઝ અદા કર્યા બાદ મિત્રો કોઝ-વેમાં ફરવા ગયાં હતાં. તેવામાં સેલ્ફી લેતા એક મિત્રનો પગ અચાનક જ નદીમાં પડયો હતો. જેણે બચાવવા ત્રણ મિત્રો પણ નદીમાં પડ્યાં હતાં. રમઝાન માસમાં આ બંને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.