હિમાચલના કિન્નોરમાં પહાડો પરથી પથ્થરની મોટી શીલાઓ નીચે પુલ પરથી પસાર થતા ટેમ્પો પર તૂટી પડતા 11 પ્રવાસીઓ દટાયા હતા જેમાંથી 9 ના મોત થયા છે.
હિમાચલના કિન્નોરમાં મોટી દુર્ઘટના
પુલ પરથી ચાલતા ટેમ્પોમાં પથ્થરની મોટી શીલાઓ તૂટી પડી
11 પ્રવાસીઓ દબાયા, 9 ના મોત 3 ઘાયલ
આ ગોઝારી ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. કિન્નોરનના સાંગલ છિતકુલ રોડ પર બટસેરી પાસે પહાડો પરથી પથ્થરોની મોટી શીલાઓ તૂટી પડી હતી.બરાબર આ જ સમયે પુલ પરથી એક ટેમ્પો પસાર થઈ રહ્યો હતો અને ટેમ્પો તેની ચપેટમાં આવ્યો.
કિન્નોર જિલ્લામાં ભૂસ્ખલનનો બનાવ બન્યો
હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ભૂસ્ખલનનો બનાવ બનતા 9 લોકોના મોત થઈ ગયા છે અને ત્રણ વ્યક્તી ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. હાલ મળી જાણકારી અનુસાર કિન્નોર જિલ્લામાં પર્વતમાંથી ભેખડ ધસી પડતાં ત્યાં ફરવા આવેલા પર્યટકોની ગાડી આ ઘટનામાં આવી ગઈ.
#WATCH | Himachal Pradesh: Boulders roll downhill due to landslide in Kinnaur district resulting in bridge collapse; vehicles damaged pic.twitter.com/AfBvRgSxn0
ગાડી પર આ ભેખડ પડતાં 9 લોકોના કરૂણ મોત નિપજ્યાં હતા અને ત્રણ લોકો ઘાયલ થયા હતા. સામે આવ્યું છે કે ગાડીમાં સફર કરી રહેલા આ બધા પ્રવાસીઓ દિલ્હી અને ચંડીગઢથી હિમાચલ ફરવા આવ્યા હતા.
ટેમ્પોમાં સવાર 9 લોકોના મોત, ત્રણ ઘાયલ
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય જગત સિંહ નેગીએ જણાવ્યું કે પહાડો પરથી સતત પત્થરો પડી રહ્યા છે જેના કારણે રેસ્ક્યૂમાં પણ તકલીફ પડી રહી છે. તેમણે કહ્યું કે ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવા માટે સરકાર પાસેથી હેલિકોપ્ટર મંગાવ્યા છે અને તે જલ્દી જ આવી જશે તેવું આશ્વાસન મળ્યું છે. કિન્નોરના DC આબિદ હુસૈન સાદીક, SP એસઆર રાણા પણ હાલ ઘટના સ્થળે હાજર છે.