ડ્રગ્સ કન્ટ્રોલર જનર્લ ઓફ ઈન્ડિયા(ડીસીજીઆઈ)એ ઓક્સપોર્ડ વિશ્વવિધ્યાલય દ્વારા વિકસિત કરેલી કોવિડ -19નાની રસીના બીજા અને ત્રીજા ચરણના માનવ પરિક્ષણ માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા(એસઆઈઆઈ)ને મંજૂરી આપી દીધી છે.
ત્રીજા ક્લિનિકલ ટ્રાયલ પહેલા ડેટા સીડીએસસીઓની પાસે જમા થશે
આ રસીના ત્રીજા ચરણનું પરિક્ષણ બ્રિટનમાં ચાલી રહ્યું છે
સરકારી અધિકારીઓએ જણાવ્યું કે એસઆઈઆઈને આ મંજૂરી ડીસીજીઆઈના ડિરેક્ટર ડૉ. વી. જી સોમાનીએ રવિવારે મોડી રાતે આપી છે. આ પહેલા તેમણે કોવિડ 19ના વિષય વિશેષજ્ઞ સમિતિ(એસઈસી)ની અનુશંસાઓ પર ગુઢ વિચાર વિમર્શ કર્યુ હતું.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કંપનીના ત્રીજા ચરણના ક્લિનિકલ ટ્રાયલ પહેલા સુરક્ષા સંબંધી ડેટા કેન્દ્રના સીડીએસસીઓની પાસે જમા કરાવશે. જેનું મુલ્યાંકન ડીએસએમબીએએ કર્યું હશે.
તેમણે જણકારી આપી કે શોધની રુપરેખા મુજબ શોધમાં ભાગ લેનારા તમામ વ્યક્તિને 4 અઠવાડિયાના અંતરે 2 ડોઝ આપવામાં આવશે. એટલે કે પહેલા ડોઝના 29માં દિવસે બીજો ડોઝ આપવામાં આવશે. આ દરમિયાન તેના સુરક્ષાનું તથા અન્ય તમામ બાબતોનું આકલન કરવામાં આવશે.
અધિકારીએ જણાવ્યું કે વિશેષજ્ઞોની પેનલે પહેલા અને બીજા ચરણના પરિક્ષણ બાદ મળેલા ડેટાનું ગહન અધ્યયન કરી વિચાર વિમર્શ બાદ વયસ્કો પર બીજા અને ત્રીજા ચરણના પરિક્ષણની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે ઓક્સફોર્ડની આ રસીના ત્રીજા ચરણનું પરિક્ષણ બ્રિટનમાં ચાલી રહ્યું છે.