મુંબઈ પોલીસે બુધવારે રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્ણબ ગોસ્વામીને તેના વર્લી સ્થિત ઘરેથી અરેસ્ટ કર્યા છે. તેમના પર ઈન્ટિરિયર ડિઝાઈનર અન્વય નાઈક(53)ને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપસર 2 વર્ષ જૂના કેસમાં અરેસ્ટ કર્યા છે. નાઈકે પોતાની સુસાઈડ નોટમાં કહ્યું હતું કે આ લોકો પાસે 3 ફર્મના માલિક એઆરજી આઉટરલાયર, (રિપબ્લિક ટીવીના સંચાલક), આઈકાસ્ટએક્સ- સ્કાઈમીડિયાના ફિરોજ શેખ અને સ્માર્ટ વર્ક્સના નીતિશ સારદાએ તેમનું વળતર નથી ચૂકવ્યું. શેખ અને સારદાને પણ બુધવારે કાંદિવલી અને જોગેશ્વરીના તેમના ઘરમાંથી ઝડપી લેવાયા હતા.
ગોસ્વામીને તેના વર્લી સ્થિત ઘરેથી અરેસ્ટ કર્યા છે
વર્ષે મેમાં નાઈકની દીકરી અદન્યા ગૃહમંત્રીને મળી હતી
...એટલા માટે તેમણે આત્મહત્યા કરી હતી
પોલીસે કોર્ટમાં જે રિમાન્ડ અરજી જમા કરી હતી. જેમાં પૈસા ન મળવાને કારણે તેઓ પોતાના વેન્ડર્સને પૈસા ચૂકવી શક્યા નહોંતા. આ કારણે તે માનસિક તણાવમાં હતા. એટલા માટે તેમણે આત્મહત્યા કરી હતી. પોલીસે ગત વર્ષે આ કેસને બંધ કરી દીધો હતો. પરંતુ રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખના નિર્દેશ પર પોલીસે આ વર્ષની શરુઆતમાં કોર્ટમાં ગઈ અને આને ફરી ખોલ્યો હતો. પોલીસનું કહેવું છે કે આ વર્ષે મેમાં નાઈકની દીકરી અદન્યા ગૃહમંત્રીને મળી હતી.
અર્નબની ધરપકડ પર ભાજપ અને ચેનલ બન્ને રાજનીતિક વેરનો આરોપ લગાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે અર્ણબ મહાવિકાસ અઘાડી સરકારની સમીક્ષા કરે છે એટલા માટે આ પગલુ ભરવામાં આવ્યું છે. ભાજપે આક્ષેપ લગાવ્યો છે કે ગોસ્વામીને હેરાન કરવા માટે આત્મહત્યાની વાતને હવા આપવામાં આવી રહી છે.
અર્નબે હાઈકોર્ટમાં ધરપકડન પડકારી છે
બુધવારે જ અર્નબે બોમ્બે હાઈકોર્ટમાં હૈબિયસ કોપર્સ અરજી દાખલ કરી હતી. અરજીમાં પોતાની ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી. તેમને ખોટા કેસમાં બંધ થઈ ગયેલા કેસને ફરી ખોલવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે અર્નબ ગોસ્વામી અને બીજા અન્ય લોકોએ કથિત રીત 53 વર્ષીય એક ઈન્ટિરિયર ડિઝાઈનરને આપવાના નીકળતી રકમની ચૂકવણી નથી કરી. ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઈકની દીકરી આજ્ઞા નાઈકે દાવો કર્યો હતો કે રાયગઢ જિલ્લામાં અલીબાગ પોલીસે વળતરની રકમના મામલામાં યોગ્ય તપાસ નથી કરી. એટલા માટે અન્વય અને તેમની માતાને આત્મહત્યાનું પગલુ ભરવુ પડ્યું છે. કથિત રીતે અન્વય નાઈક દ્વારા લખવામાં આવેલા સુસાઈડ નોટમાં કહેવામાં આવ્યું છે કે આરોપીઓએ તેમને 5.40 કરોડ રુપિયાની ચૂકવણી નથી કરી. એટલા માટે તેમણે આત્મહત્યાનું પગલુ ભરવું પડ્યું. રિપબ્લિકેશન ટીવીએ આરોપોને ફગાવી દીધા હતા. પોલીસે ગોસ્વામીની 14 દિવસની કસ્ટડીની અપીલ કરી હતી પરંતુ કોર્ટે કહ્યું કે કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવાની જરુર નથી.
ગોસ્વામી ઉપરાંત અન્ય બે આરોપી ફિરોજ મોહમ્મદ શેખ અને નિતેશ સારદા છે. જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને 18 નવેમ્બર સુધી તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.