ભારતમાં ન્યાય વ્યવસ્થાને ઝડપી બનાવવા માટે સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોને મોટા આદેશ આપ્યા છે.
હવે કોર્ટમાં તારીખ પર તારીખ નહીં પડે
સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોને કર્યો નિર્દેશ
કોર્ટ સુનાવણી ટાળવાના અનુરોધને ન માને
હવે તારીખ પર તારીખ નહીં મળે
ભારતની અદાલતોમાં આજની તારીખમાં પણ કરોડો કેસ પેન્ડિંગ પડ્યા છે, દેશભરની અદાલતમાં અનેક કેસ એવા છે જેનામાં ચુકાદો આવતા આવતા વર્ષોનાં વર્ષો વીતી જાય છે ત્યારે આ ટ્રેન્ડ બદલવા માટે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે.
હવે કોર્ટ નિયમિત રૂપે મામલા પર સુનાવણી નહીં ટાળે
ભારતમાં અદાલત માટે એક ડાયલોગ ખૂબ જ પ્રખ્યાત છે, તારીખ પે તારીખ. એવામાં આ નીતિ દેશમાં બદલાય તે માટે સુપ્રીમ કોર્ટે એક મોટા આદેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોટમાં વારંવાર સુનાવણી ટાળવા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે સુનાવણી ટાળી દેવાની કોઈ પણ અરજીને સ્વીકાર કરશો નહીં.
મધ્યપ્રદેશના એક કેસમાં 4 વર્ષનો વિલંબ થયો, કોર્ટે કહ્યું હવે કલ્ચર બદલી દેવાનો સમય આવી ગયો છે
મધ્ય પ્રદેશનાં એક કેસમાં ચાર વર્ષોનો વિલંબ કરવામાં આવીપ જેમા 10 વાર તો સુનાવણી ટાળી દેવામાં આવી હતી જેના પર સુપ્રીમ કોર્ટનાં એમ આર શાહ અને એએસ બોપન્નાએ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આ કલ્ચરને બદલવામાં આવે. કોર્ટે કહ્યું કે વારંવાર કોર્ટને સ્થગિત કરવાથી કાયાદકીય કાર્યવાહી ખૂબ જ ધીમી થઈ જાય છે. એવામાં હવે લોકોને કાયદામાં વિશ્વાસ રહે તે માટે કામ કરવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વારંવાર કોર્ટને સ્થગિત કરી દેવાથી લોકોનો વિશ્વાસ ઓછો થઈ જાય છે.