બસ્તર પ્રદેશના દાંતેવાડા જિલ્લાના અનેક ગામોમાં શુદ્ધ પીવાના પાણીની સમસ્યા ખૂબ ગંભીર બની છે. સ્થિતિ એ છે કે ઘણા ગામો અને નગરોના આદિવાસીઓએ ખાડાઓ અને ઝરણાંઓનું પાણી પીવાની ફરજ પડી છે. આવી જ સ્થિતિ દાંતેવાડાના પખાનચુઆન ગામની છે. અહીંના આદિવાસીઓને વર્ષોથી ખાડામાંથી પાણી પીવાની ફરજ પડી છે.
આ ખાડામાંથી પાણી ડ્રેનેજ સહિતના અન્ય કામો માટે પણ આપવામાં આવે છે. આ નક્સલ પ્રભાવિત વિસ્તારના ગ્રામજનોનું કહેવું છે કે આ સમસ્યાના નિરાકરણ માટે હજુ સુધી વહીવટીતંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી.
સમસ્યાનું નિરાકરણ કરાયું હોવાનો દાવો
દાંતેવાડાના પખાનચુઆન ગામમાં પાણીને લઇને મોટી સમસ્યા છે. ગામના એક રહેવાસીએ કહ્યું કે "અમે વર્ષોથી ખાડાનું પાણી પીએ છીએ. અમને વહીવટી તંત્ર તરફથી કોઈ મદદ મળી નથી. હજી સુધી ગામમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે હવે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ કરાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
Chhattisgarh: Residents of Pakhnachuan village in Dantewada are facing acute water crisis and are forced to consume water from a pit. A local says, "We're drinking water from pit since years. We have not received any help from the administration". (12.06.2020) pic.twitter.com/56SoAXthkB
દાંતેવાડા જિલ્લા કલેક્ટર દીપક સોનીએ ગામોમાં પાણીની સમસ્યા અંગે જણાવ્યું હતું કે, "પખાનચુઆન ગામમાં પાણીની સમસ્યા નોંધાઇ છે. અમે આ મુદ્દાને હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ગામમાં બોરવેલ માટે ડ્રિલિંગ ચાલી રહી છે. એકવાર બોરવેલ થઈ ગયા પછી ગામમાં પાણીની સમસ્યા હલ થઈ જશે." આપને જણાવી દઈએ કે દાંતેવાડા જ નહીં, બસ્તર વિભાગના નક્સલવાદીઓથી પ્રભાવિત સુકમા, બીજપુર જિલ્લાના ઘણા ગામોમાં પણ આ જ સમસ્યા જોવા મળી રહી છે.