ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ છે. આગામી તારીખ 19 અને 20 મેના વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકશે. તૌકતે નામનું વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકશે. 16 મે સુધીમાં વાવાઝોડુ સક્રિય થવાની સંભાવના છે. આ દરમિયાન 35-40 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. લો પ્રેશર સર્જાયા બાદ વાવાઝોડાની દિશા નક્કી થશે..
વાવાઝોડા અંગે પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન
ગુજરાતમાં સંભવિત વાવાઝોડાને લઈને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનુ નિવેદન આપ્યું છે. પ્રદીપસિંહે કહ્યું, સંભવિત વાવાઝોડાને લઈ સતર્ક રહેવા તંત્રને સૂચના અપાઈ ચૂકી છે. વાવાઝોડુ સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવનાને પગલે તંત્રને અલર્ટ કરાયું છે. સંભવિત વાવાઝોડાને લઈને રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે. સંભવિત વાવાઝોડાને લઈ જિલ્લા કલેક્ટરોને પણ અલર્ટ કરી દેવાયા છે. ગઈકાલે રાજ્યના મુખ્ય સચિવે દ્વારા પણ પ્રી-મોન્સૂન પ્લાન અંગે મિટિંગ યોજાઈ હતી. 16મેના રોજ ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાની સંભાવના છે.