ગુજરાતમાં વધુ એક આભડછેટનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે.કચ્છમાં એક દલિત પરિવારે મંદિરમાં પ્રવેશ કરતા તેને મારા મારવાનો બનાવ બન્યો છે. આ કેસમાં પાંચ લોકોની અટકાયત કરાઈ છે
કચ્છમાં દલિત પરિવાર હુમલાની ઘટના
મંદિરમાં પ્રવેશ કર્યા બાદ થયો હુમલો; દાવો
છ ઈજાગ્રસ્ત ભૂજની હોસ્પીટલમાં સારવાર અર્થે
ગુજરાતમાં વધુ એક આભડછેટનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે.કચ્છમાં એક દલિત પરિવારે મંદિરમાં પ્રવેશ કરતા તેને મારા મારવાનો બનાવ બન્યો છે. આ કેસમાં પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે. તો લગભગ 12 થી વધુ લોકોની પોલીસને હજુ પણ તલાશ છે.
20નાં ટોળાએ કર્યો હૂમલો
કચ્છમાં એક દલિત પરિવારને એટલા માટે ઢોર માર મારવામાં આવ્યો કારણ કે,તેઓ ભગવાનના મંદિરમાં દર્શન કરવા ગયા હતા. પોલીસે આ કેસમાં લગભગ 20 જણા સામે ગુનો દાખલ કર્યો છે જ્યારે પાંચ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.
હૂમલો ત્રણ દિવસ પહેલા
ઘટના છે કચ્છના ગાંધીધામના ભચાઉ તાલુકાના એક ગામની. એક જ પરિવારના 6 સભ્યો પર ત્રણેક દિવસ પહેલા કથિત રીતે તેમના પર 20 લોકોએ હૂમલો કર્યો હતો.ત્યાર બાદ, ગુજરાત પોલીસે શુક્રવાર સાંજ સુધીમાં પાંચ વ્યક્તિઓની અટકાયત કરી હતી. હૂમલામાં ઘાયલ થયેલા વ્યક્તિઓએ એવો દાવો કર્યો હતો કે, મંદિરમાં અન્ય એક સમૂદાય દ્વારા આયોજિત એક સમારોહ દરમિયાન રામ મંદિરમાં પ્રવેશ કર્યા બાદ તેઓને વ્યવસ્થિત રીતે નિશાન બનાવવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે, તે પીડિતો દ્વારા લગાવાયેલા આરોપોની તપાસ કરી રહી છે.
તીક્ષણ હથિયારથી હૂમલો
પોલીસે કહ્યું કે, ઘાયલ થયેલા છ લોકોને સારવાર અર્થે ભૂજની સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાયા છે. પીડિતો પર થયેલા હૂમલામાં માઠા અને શરીરના અન્ય ભાગો પર તીક્ષ્ણ હથીયારના નિશાન છે પોલીસના કહેવા પ્રમાણે, 26 ઓક્ટોબરે સવારે ભચાઉના નેર ગામમાં હૂમલાની બે ઘટનાઓ બની હતી. જેમાં 20 વ્યક્તિના એક ટોળાએ પહેલા દલિત પરિવાર પર પશુઓ અને ખેતરો મુદ્દે હોમલો કર્યો.અને બાદમાં તેઓના ઘરમાં ઘૂસી ગયા હતા.
મંદિરમાં કેમ આવ્યા ? પીડિત
એક પીડીતે જણાવ્યું હતું કે, 26 ઓક્ટોબરે સવારે 10 વાઘ્યે અમને જાણ થઈ કે તેમના ખેતરમાં પશુઓ ઘૂસી આવ્યા છે. બાદમાં કેટલાક લોકોએ પૂછ્યું કે, રામ મંદિરમાં પ્રવેશ કેમ કર્યો હતો જ્યારે ત્યાં પ્રતિષ્ઠા સમારોહ ચાલી રહ્યો હતો ? તેઓએ મારો ફોન આંચકી લીધો અને ઓટો રિક્ષા પર હૂમલો કર્યો જેથી અમો ના લઇ શકીએ.