બોટાદના જાળીલાના ઉપસરપંચની હત્યા થઈ હતી. હત્યારાઓએ ઉપસરપંચ મનજીભાઈની બાઈકને કારથી ટક્કર મારી હતી. આ દરમિયાન મનજીભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી. હત્યારોએ તેમની પર હુમલો કર્યો હતો. રસ્તા પરથી પસાર થતા કોઈ બાઈક ચાલકની તેમના પર નજર પડી હતી. તેમણે તેમના પુત્રને જાણ કરી હતી. ત્યારબાદ મનજીભાઈને તાત્કાલીક નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
બોટાદમાં ઉપસરપંચ મનજીભાઈની 9 શખ્સોએ મળીને હત્યા કરી છે. આ મામલે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. મહત્વનુ છે કે, મનજીભાઈની હત્યા બાદ પોલીસે અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે બાકીના 1 આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. પરિવારજનો દ્વારા 6 માગ કરવામાં આવી હતી. સરકારે તમામ માગ સ્વીકારતા પરિવારજનો હવે મૃતદેહ સ્વીકારાશે.
સરકારે તમામ માગણીઓ સ્વિકારતા સુખદ સમાધાન
બોટાદના જાળીલા ગામના ઉપસરપંચની હત્યા મામલે પોલીસના અધિકારીઓ અને પરિવાર વચ્ચે બંધબારણે બેઠક મળી હતી. જેમાં મૃતકના પરિવારજનોને મનાવવા પોલીસ દ્વારા મથામણ કરવામાં આવી હતી. પરિવારની અલગ અલગ માગણીઓ પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં સેક્ટર 2 JCP, DCP સહિતના પોલીસ અધિકારીઓ ઉપરાંત ધારાસભ્ય પ્રદિપ પરમાર અને નૌશાદ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પરિવારની તમામ માગણી સ્વિકારી લેવામાં આવતા હવે સુખદ સમાધાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
પરિવારજનોની માંગણીઓ
તમામ 9 આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય
કાયમી ધોરણે પોલીસ અને SRPનું પ્રોટેક્શન
હથિયાર રાખવાનો પરવાનો મળે
કેસની તપાસ એસઆઇટીની રચના કરવામાં આવે
અગાઉના 4 અને આ કેસને અમદાવાદમાં ટ્રાન્સફર કરાય
તમામ કેસને ડે ટુ ડે ચલાવવામાં આવે
પરિવારજનોને સ્પેશિયલ સરકારી વકીલ ફાળવવામાં આવે
પરિવાર જે વકીલને કહે તેને સરકાર દ્વારા ફાળવવામાં આવે
અલગ સમય મર્યાદામાં કરાશે અમલ
સરકારે મૃતકના પરિવારની તમામ માંગણી સ્વિકારી છે. જેમાં પરિવાર સાથે બેઠક કરીને લેખિતમાં બાંહેધરી અપાઈ છે. તમામ 6 માંગણીઓ અલગ સમય મર્યાદામાં અમલ કરાશે. આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગણી પર અમલ. એક માસમાં બોટાદથી અમદાવાદમાં કેસ ટ્રાન્સફર માટે પીટીશન થશે. 15 દિવસમાં સ્પેશિયલ PPની નિમણૂક માટે 3 વકિલની પેનલમાં નામ, મૃતકના ભાઈ અને પુત્રને હથિયારનો પરવાનો અને પોલીસંરક્ષણની માગ, પોલીસની બેદરકારીને લઈને 3 માસમાં જવાબદારો સામે તપાસની માગ, રાજ્યભરમાં અનુસુચિત જાતિના રક્ષાની માગ પર મુલ્યાંકન બાદ અમલવારી થશે.
8 આરોપીઓને થઇ ધરપકડ
બોટાદના જાળીયા ગામે ઉપ સરપંચની હત્યા મામલે વધુ 5 ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સમગ્ર મામલે કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સવારે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે અત્યારે વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.