'મહા' વાવાઝોડાને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. 'મહા' વાવાઝોડું દીવ અને દ્વારકાના દરિયા કાંઠે ટકરાશે. આગામી 6 અને 7 તારીખએ વરસાદ પડે તેવી શક્યતા છે. 100થી 110ની સ્પીડે પવન ફૂંકાશે. 8 નવેમ્બરે 'મહા' વાવાઝોડાનો ખતરો ટળી જશે. સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ વેરાવળથી 550 કિમી દૂર છે. જે 4 તારીખ પછી મૂવમેન્ટ બદલશે. અને 6 તારીખે મધરાત્રે દરિયા કાંઠે હીટ કરશે.
મહા વાવાઝોડું બન્યું વધુ સક્રિય
હવામાન વિભાગની આગાહી
6 અને 7 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્રમાં થશે વરસાદ
નોંધનીય છે કે, આગામી 6 કલાક બાદ આ વાવાઝોડું ગંભીર સ્વરૂપ ઘારણ કરશે. હાલમાં ભારે પવનના કારણે માછીમારને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતના બંદરો પર બે નંબરનું સિગ્નલ યથાવત છે. વેરાવળ બંદર પર બોટના ઢગલા જોવા મળી રહ્યા છે.
ઓમાન નજીક દરિયામાં સમાઈ જવાની શક્યતા
ઓમાન નજીક જ દરિયામાં સમાઇ જવાની 80 ટકા શક્યતા છે. જો દરિયામાં આ વાવાઝોડું નહીં સમાઇ તો સુરત અને ઘોઘાની વચ્ચેની ખાડીમાંથી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ત્રાટકશે આ સમયે 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે અને સંભવત: 3થી 4 ઈંચ સુધીનો વરસાદ પડી શકે તેમ છે.
જખૌની 400 બોટો દરિયામાં સંપર્ક વિહોણી
કચ્છમાં જખૌની 400 બોટો દરિયામાં સંપર્ક વિહોણી છે. જખૌ બંદર પરથઈ 984 બોટને ટોકન અપાયા હતા. જેમાંથી 584 બોટ કિનારે પરત ફરી છે પરંતુ હતુ 400 બોટ હજુ દરિયામાં છે. ત્યારે જખૌ બંદર પર કોઇ પણ પ્રકારનું નેટવર્ક ન હોવાથી 400 બોટ સાથે કોઇ પણ સંપર્ક નથી થઇ શક્યો છે. અને માછીમારી કરવા ગયેલી બોટ દરિયામાં અટવાઇ ગઇ છે.
દરિયાકાંઠા સુધી પહોંચે તે પહેલા જ દરિયામાં સમાયા વાવાઝોડા
ગુજરાતના દરિયાકાંઠા તરફ ઝડપથી આગળ વધી રહેલું વાવાઝોડુ 'મહા' ગુજરાતમાં તારાજી સર્જશે પણ ગુજરાતના ઈતિહાસમાં વાવાઝોડા દરિયાકાંઠા સુધી પહોંચે એ પહેલા જ દરિયા માં સમાઈ ગયા છે. 2014થી અત્યાર સુધીમાં ગુજરાતના દરિયાકાઠા પાસેથી દસથી વધુ વાવાઝોડા પસાર થયા છે. મહા પણ દરિયામાં જ સમાઈ જશે તેવી સંભાવના સેવાઈ રહી છે પરંતુ બની શકે છે કે જો તેનું તાપમાન હજુ વધતુ રહેશે તો તે ગુજરાત ઉપર ત્રાટકશે.