મધ્યપ્રદેશના ચોથી વખત મુખ્યમંત્રીનો પદભાર સંભાળતાની સાથે જ શિવરાજસિંહ ચૌહાણ એકશન મોડમાં આવી ગયા છે. શિવરજસિંહે સોમવારના મોડી રાત્રે મહામારી જાહેર કરાયેલ કોકરોના વાયરસ સામેની લડાઇ માટે હાઇ લેવલની મીટિંગ બોલાવી હતી.
શિવરાજસિંહ ચૌહાણે ચોથી વખત મુખ્યમંત્રી તરીકે લીધા શપથ
મધ્યપ્રદેશમાં સીએમ બનતા શિવરાજસિંહ એકશનમાં
ભોપાલ-જબલપુરમાં લગાવ્યો કર્ફ્યું
આ મીટિંગમાં મુખ્યમંત્રી શિવરાજસિંહે કોરોના વિરુદ્ધ જારી જંગને લઇને તૈયારી અંગેની સમીક્ષા કરી. શિવરાજસિંહ ચૌહાણે સોમવારના રોજ ચોથી વખત રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા.
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ જણાવ્યું કે આજથી ભોપાલ અને જબલપુરમાં કર્ફ્યું લગાવી દેવામાં આવ્યો છે. આ સિવય લોકોને રાજ્યના 36 જિલ્લામાં લગાવામાં આવેલા બંધનું કડક પાલન કરવું જોઇએ. હું લોકોને ઘરમાં રહેવાની અપીલ કરુ છું. લોકો માટે અનૂકુળતા અને આવશ્યક વસ્તુઓ ઉપલબ્ધ કરાશે.
ઉલ્લેખનીય છે કે સોમવાર સાંજે સાત વાગે યોજાયેલી ભાજપ ધારાસભ્ય દળની વિશેષ બેઠકમાં શિવરાજસિંહ ચૌહાણની નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિનય સહસ્ત્રબુદ્ધે અને રાષ્ટ્રીય મહામંત્રી અરૂણ સિંહની કેન્દ્રી નેતાગીરી તરીકે વીડિયો કોન્ફરન્સ દ્વાર ઉપસ્થિતિમાં હાલના નેતા પ્રતિપક્ષ ગોપાલ ભાર્ગવે તેમના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો.
Curfew will be imposed in Bhopal & Jabalpur from tomorrow.Also, people should strictly follow lockdown imposed in 36 districts of state. I appeal to people to stay at home for all of us.Emergency&essential services will be available to people: MP CM Shivraj Singh Chouhan #COVID19https://t.co/ajpzkEHeXfpic.twitter.com/WcDRGnMaXh