પેટે પાટા બાંધી દીકરાને મોટા કર્યા. તે જ પુત્ર હાલ માતાની સામે પડ્યો છે. ત્યારે માતાએ પોલીસના દ્વાર ખટખટાવ્યા છે.
આવા દીકરા કોઈને ન મળજો
કળયુગી દીકરાનું કૃત્યુ
જનેતાને જ માર્યો મારો
અમદાવાદની એક માતા દિકરાને પસ્તાવો છે કે તેના ઘરે દિકરાનો જન્મ થયો. આ વાત સાંભળીને નવાઈ લાગશે. પરંતુ નવરંગપુરાના આ કિસ્સાએ માતા-પુત્રના મમતા સંબંધને ખત્મ કરી દીધો. બીમાર માતાએ દવા માટે દિકરા અને પુત્રવધુને ઠપકો આપતા તેને માર મારીને ઘરમાથી કાઢી મુકી. પોલીસે પિડીત માતાની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી.
ઘડપણમા આંખમા આસુ છલકાઈ રહયા છે અને મુખે એકના એક દિકરાના કરતુતોની વ્યથા સભંળાઈ રહેલા આ 65 વર્ષના મહિલા શાંતાબેન દંતાણીને તેમના દિકરા જગદીશ અને પુત્રવધુ અમીતાએ માર મારીને ઘરમાંથી કાઢી મુક્યા. કારણ કે આ માતાએ પોતાની બીમારીના ઈલાજ માટે દિકરા પાસે દવા માંગી.
દિકરો અને પુત્રવધુ ઉશ્કેરાઈ જઈને માર માર્યો
ઘટનાની વિગત એવી છે કે શાંતાબેનને ખેંચની બીમારી છે. તેમણે દવા દરરોજ લેવી પડે છે. તેમની દવા ખત્મ થઈ જતા પુત્રવધુ અમીતા પાસે દવાની માંગ કરી. પરંતુ પુત્રવધુએ દવા નહિ લાવી આપતા આ માએ પોતાના એકના એક દિકરાને દવાને લઈને ઠપકો આપતા. જેથી દિકરો અને પુત્રવધુ ઉશ્કેરાઈ જઈને માર માર્યો. જેના કારણ તેમને ગંભીર ઈજા પહોંચી. આ માતા હવે કળયુગના દિકરા અને પુત્રવધુને સજા મળે તેવી માંગ કરી રહી છે.
શાંતાબેનના પતિ પાંચ વર્ષ પહેલા ગુજરી ગયા
ટીવી સ્કીન પર દેખાતી આ પુત્રવધુ અને પુત્ર વિરૂધ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઈ. જીમમા ટ્રેનર તરીકે નોકરી કરતો જગદીશ ભુલી ગયો કે તે જેને માર મારતો હતો તે તેની જનેતા હતી. બાળપણમા લાડ લડાવીને મોટો કર્યો. અને ઘડપણમા આ માને આવી સજા આપી રહયો છે. શાંતાબેનને પોતાના નામની મિલકત હોવા છંતા દિકરો પત્નીના કહેવાથી ઘરડાઘરમા મુકવા જવાની વાત કરી રહયો છે. શાંતાબેનના પતિ પાંચ વર્ષ પહેલા ગુજરી ગયા. તેમને સંતાનમા બે દિકરા અને ત્રણ દિકરી છે. જેમા એક દિકરાનુ અકસ્માતમા મૃત્યુ થયુ હતુ. જયારે દિકરીઓ સાથે પણ પુત્રએ સંબંધ ખત્મ કરાવી દીધા હતા. પુત્રવધુ અને પુત્રના ત્રાસથી કંટાળી હવે આ માતા દિકરીના આસરે આવી છે. ત્યારે પોલીસે પણ દિકરા અને પુત્રવધુ ગુનો નોંધી તપાસ શરૂ કરી.