ગુજરાત ATSએ મુંબઈથી તિસ્તા સેતલવાડની ધરપકડ કરી છે. જે બાદ તિસ્તા સેતલવાડને અમદાવાદ લાવવામાં આવ્યાં છે. તિસ્તા વિરુદ્ધ 2002ના રમખાણો વખતે ખોટા ફડિંગ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તિસ્તાની સાથે આર.બી.શ્રીકુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. સાથે પૂર્વ IPS સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તિસ્તાની ધરપકડ કર્યા બાદ SVP હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. બાદમાં કોર્ટમાં રજૂ કરાયા હતાં. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના DCPએ જણાવ્યું કે, 'તિસ્તાનો ઉદ્દેશ અરાજકતા ફેલાવવાનો હતો.'
ક્રાઈમ બ્રાંચ 14 દિવસના રિમાન્ડની માંગ કરશે
હવે તિસ્તા સેતલવાડ અને પૂર્વ IPS આર.બી.શ્રીકુમાર બંનેને અમદાવાદની મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા છે. જ્યાં ક્રાઈમ બ્રાંચ 14 દિવસના રિમાન્ડની માંગ કરશે. આ સાથે તિસ્તા સેતલવાડની ધરપકડ મામલે ક્રાઈમ બ્રાંચનું નિવેદન પણ સામે આવ્યું છે.
તિસ્તા સેતલવાડને જો કોઈ ફરિયાદ હોય તો તે મેજિસ્ટ્રેટ સામે કરી શકે: DCP
વધુમાં તિસ્તા સેતલવાડની ધરપકડ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચનું નિવેદન પણ સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાંચના DCPએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'તિસ્તાનો ઉદ્દેશ અરાજકતા ફેલાવવાનો હતો. ષડયંત્ર ક્યાંથી કેવી રીતે થયું તેની પણ તપાસ કરાશે. PI દર્શનસિંહ બારડ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રીકુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે બનાવટી દસ્તાવેજ બનાવવા તેમજ પોતાના પાવરનો દુરુપયોગ કર્યો છે. તિસ્તા સેતલવાડ પોલીસને સહયોગ પણ નથી કરી રહ્યાં. આરોપીઓએ જ્યાં ડોક્યુમેન્ટ જમા કર્યા છે ત્યાં તપાસ કરાશે. ક્રાઇમ બ્રાંચ 14 દિવસના રિમાન્ડની માંગ કરશે. તિસ્તા સેતલવાડને જો કોઈ ફરિયાદ હોય તો તે મેજિસ્ટ્રેટ સામે કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, 2002ના રમખાણો વખતે ખોટા ફંડિગ મામલે સુપ્રીમકોર્ટના નિર્દેશના પગલે ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાયો હતો.
Ahmedabad, Gujarat | Gujarat ATS presents Teesta Setalvad in Metropolitan Magistrates Court, Ahmedabad, "I am not a criminal," she shouts going in pic.twitter.com/26lLS36C8T
જો કે, આ મામલે અમદાવાદની મેટ્રો કોર્ટમાં રજૂ કરતી વખતે તિસ્તા સેતલવાડે કહ્યું 'હું ગુનેગાર નથી'.
Ahmedabad, Gujarat | Gujarat ATS presents Teesta Setalvad in Metropolitan Magistrates Court, Ahmedabad, "I am not a criminal," she shouts going in pic.twitter.com/26lLS36C8T
સેતલવાડ અને સાગરીતો દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરાયા હતા
મહત્વનું છે કે, 2002ના રમખાણો વખતે ખોટા ફંડિગ મામલે ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાયો હતો. સુપ્રીમકોર્ટના નિર્દેશના પગલે ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધી હતી. સેતલવાડ અને સાગરીતો દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરાયા હતા. ખોટા દસ્તાવેજો રજૂ કરીને અલગ-અલગ કમિશનમાં આપ્યા હતાં. NGO મારફતે વિદેશી ભંડોળ પણ મેળવવામાં આવ્યું હતું.