ગાંધીનગરઃ બિન અનામત વર્ગોના આયોગના નવા કાર્યાલયનો પ્રારંભ થયો છે. આ કાર્યાલયનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે નિવેદન આપતા કહ્યુ કે આ આયોગનો અમે શરૂઆતથી જ વિરોધ કરી રહ્યા છે.
કોંગ્રેસની માગ મુજબ ભાજપ સરકારે આયોગની રચના કરી નથી. કોંગ્રેસ આ આયોગની રચના કરવા માટે 2 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવાની માગ કરી હતી. સરકાર કોંગ્રેસની આ માગ સ્વીકારી નથી. સરકાર કોંગ્રેસની આ માગ સ્વીકારશે ત્યાર બાદ કોંગ્રેસ આ આયોગને સમર્થન આપશે.