CR પાટીલે આવનાર ચૂંટણીમાં મહિલાઓને વધુ ટિકિટ આપવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી
સી આર પાટીલ ભાવનગરની મુલાકાતે
મહિલા સંમેલનનું આયોજન
"મહિલાઓને વધુ ટિકિટ આપવામાં આવશે"
ભાવનગરમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામમાં અંતર્ગત ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ બે દિવસથી ભાવનગરમાં હતા આજે કાર્યક્રમના અંતિમ દિવસે પાટિલે અનેક બેઠકો કરી હતી તેમજ સાધુ સંતો,મહંતો, તેમજ કલાકરો સાથે સંવાદ કર્યો હતો.
બહેનોને વધુ ટિકિટ મળે તે માટે PM મોદી વિચારી રહ્યા છે: સી આર પાટીલ
સી આર પાટીલે મહિલા સંમેલનમાં સંબોધન કરતાં કહ્યું હતું કે એક માત્ર ભાજપે વિધાનસભા અને લોકસભામાં અનેક બહેનોને ટિકિટ આપી અને તેઓ જીત્યા પણ આ વખતે બહેનોને વધુ ટિકિટ મળે તે માટે PM મોદી વિચારી રહ્યા છે ગુજરાતમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યા અંગે મોદી ચિંતિત બન્યા હતા અને સુકન્યા સમૃદ્ધિ યોજના અમલમાં મૂકી હતી. પાટીલે એ આજે સાધુ સંતોના કેટલાક પ્રશ્નો તેમજ ખેડૂતોના પ્રશ્નો અને મહિલાઓના પ્રશ્ને તાકીદે ઉકેલવામાં આવશે તેવી હામ ભરી હતી.
'મુકેશભાઈને બદનામ કરવાનું કાવતરું છે કે હકીકત તેની તપાસ થશે'
ભાવનગરમાં વન ડે વન ડિસ્ટ્રીકટમા ભાગ લેવેલા સી આર પાટીલે જિલ્લા પ્રમુખ મુકેશ લનગળીયાના વિરોધ મામલે પણ સ્પષ્ટતા કરી હતી. કારડીયા રાજપૂત સમાજ અને ગીતા કોતરે દ્વારકામાં શરૂ કરેલા અનશન મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે માત્ર મુકેશભાઈને બદનામ કરવાનું કાવતરું છે કે હકીકત છે તે અંગે તપાસ કરીશું. ગીતા કોતરે દ્વારકામાં શા માટે અનશન શરૂ કર્યા તે પણ તપાસનો વિષય છે. ગીતાબેને ભાવનગર કે ગાંધીનગરમાં કેમ ઉપવાસ ના કર્યા તેવા સવાલ પણ સી આર પાટીલે એ ઉભા કર્યા હતા.
ભાવનગરના રાજવી પરિવારને મળ્યા સી આર પાટીલ
ચૂંટણી નજીક આવતાની સાથે જ નિલમબાગ પેલેસ ખાતે રાજકીય આગેવાનોનો ધસારો વધી ગયો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ભાવનગરના રાજવી પરિવારને મળ્યા હતા. દિલ્લીના CM કેજરીવાલ બાદ હવે પાટીલે મુલાકાત છે. ભાવનગરમા યુવરાજ જયવીરરાજસિંહ સાથેની આ શુભેચ્છા મુલાકાતમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, પ્રદેશ ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા હતા.