હવે 12-17 વર્ષની ઉંમરના બાળકોને પ્રાઈવેટ કેન્દ્રો પર સીરમ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈંડિયાની કોવિડ રસી કોવોવૈક્સ લગાવી શકાય છે અને આ સંબંધમાં કો-વિન પોર્ટલ પર જોગવાઈ પણ કરવામાં આવી છે.
12-17 વર્ષના બાળકો માટે ખાનગી કેન્દ્રો પર રસીકરણ થશે
કોવિન પોર્ટલ પર વિગતો મળી જશે
એક ડોઝ માટે આટલી કિંમત ચુકવવી પડશે
હવે 12-17 વર્ષની ઉંમરના બાળકોને પ્રાઈવેટ કેન્દ્રો પર સીરમ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈંડિયાની કોવિડ રસી કોવોવૈક્સ લગાવી શકાય છે અને આ સંબંધમાં કો-વિન પોર્ટલ પર જોગવાઈ પણ કરવામાં આવી છે. સત્તાવાર સૂત્રોએ સોમવારે આ પ્રકારની જાણકારી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, કોવોવૈક્સનો એક ડોઝ માટે 900 રૂપિયા અને તેના પર GST ચુકવવાનો રહેશે. આ ઉપરાંત હોસ્પિટલ સેવા શુલ્ક તરીકે 150 રૂપિયા અલગથી આપવાના રહેશે.
કોવિન પોર્ટલ પર કરી શકાશે રજીસ્ટ્રેશન
રસીકરણ પર રાષ્ટ્રીય ટેકનિક પરામર્શ ગ્રુપ દ્વારા 12-17 આયુવર્ગના બાળકોને કોવિડ વિરોધી રસીનો ડોઝ આપવાની ભલામણ કર્યા બાદ આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. એસઆઈઆઈમાં સરકારી તથા નિયામક બાબતોના ડાયરેક્ટર પ્રકાશ કુમાર સિંહે હાલમાં જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને પત્ર લખ્યો હતો. જેમાં 12-17 વર્ષના બાળકોને રસીકરણ અભિયાનમાં કોવોવૈક્સને સામેલ કરવાની ભલામણ કરી હતી.
એક સૂત્રએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી 12-17 વર્ષના ઉંમરના ખાનગી કેન્દ્રો પર કોવોવૈક્સ રસી લગાવી શકશે. આ સંબંધમાં કો-વિન પોર્ટલ પર સોમવાર સાંજથી જોગવાઈ કરવામાં આવી છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 189.41 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
મંત્રાલયના જણાવ્યાં અનુસાર, રાષ્ટ્રીય વેક્સિનેશન અભિયાન હેઠળ, દેશમાં અત્યાર સુધીમાં કુલ 189.41 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં વેક્સિનના કુલ 16,23,795 ડોઝ આપવામાં આવ્યા.
છેલ્લા 24 કલાકમાં દેશમાં અઢી હજારથી વધારે નવા કેસ આવ્યા
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2,568 કેસ જોવા મળ્યા છે, જ્યારે કોરોનાના કારણે વધુ 20 લોકોએ જીવ ગુમાવ્યો છે. તાજેતરના આંકડા વિશે જો વાત કરીએ તો, દેશમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ દિલ્હીમાં (1076), હરિયાણામાં (439), કેરલમાં (250), ઉત્તર પ્રદેશમાં (193) અને કર્ણાટક (111) માંથી મળી આવ્યા છે.
દેશમાં હાલ એક્ટિવ કેસની કુલ સંખ્યા 19 હજારને પાર
આ સાથે, દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 4 કરોડ, 30 લાખ, 84 હજાર 913 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં હાલ એક્ટિવ કેસની કુલ સંખ્યા 19 હજારને પાર થઇ ગઈ છે. હાલ દેશમાં 19,137 એક્ટિવ કેસ નોંધાયા છે. એક્ટિવ કેસ કુલ સંક્રમણના 0.05 ટકા થઈ ગયા છે. હાલમાં દેશમાં રિકવરી રેટ 98.74 ટકા નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં દેશભરમાં કુલ 2,911 દર્દીઓ સ્વસ્થ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડ, 25 લાખ, 41 હજાર, 887 લોકો આ મહામારીને માત આપી ચૂક્યાં છે.
80.58 ટકામાંથી 41.9% કેસ માત્ર દિલ્હીમાં
નવા કોરોનાના કેસમાંથી 80.58 ટકા તો આ પાંચ રાજ્યોમાંથી આવ્યા છે. માત્ર દિલ્હીમાં જ 41.9% કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કારણે 20 લોકોના મોત થયા છે ત્યારે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 5,23,889 લોકો જીવ ગુમાવી ચૂક્યાં છે.