કોરોના વિરોધી રસી- કોવિશીલ્ડ અને કોવેક્સિનની કેટલીક શરતો સાથે નિયમિત વિપણન મંજૂરી મળવાનો આંદાજો છે.
કંપનીઓએ કોવિશીલ્ડ અને કોવૈક્સીનના વિતરણની મંજુરી માટે અરજી કરી હતી
કોવિશીલ્ડ રસીના 100 કરોડથી વધારે ડોઝ અપાઈ ચૂક્યા છે.
ભારત બાયોટેકે કરી હતી રસી વેચવાની માંગ
કંપનીઓએ કોવિશીલ્ડ અને કોવૈક્સીનના વિતરણની મંજુરી માટે અરજી કરી હતી
દેશમાં કેન્દ્રીય ઔષધિ પ્રાધિકરણની એક વિશેષજ્ઞ સમિતિએ બુધવારે કોરોના વિરોધી રસી- કોવિશીલ્ડ અને કોવેક્સિનની કેટલીક શરતો સાથે નિયમિત વિપણન મંજૂરી આપવાની આંદાજો છે. સત્તાવાર સૂત્રોએ આ જાણકારી આપી. હાલ દેશમાં આ કોરોનાની રસીના ઉપયોગની મંજૂરી છે. ફાર્મા કંપનીઓ SII અને Bharat Biotech એ ડીસીજીઆઈ પાતે પોતાની કોરોના રસીની ક્રમશઃ કોવિશીલ્ડ અને કોવૈક્સીન માટે નિયમિત વિતરણની મંજુરી માટે અરજી જમા કરી હતી.
કોવિશીલ્ડ રસીના 100 કરોડથી વધારે ડોઝ અપાઈ ચૂક્યા છે
એસઆઈઆઈના નિર્દેશક પ્રકાશ કુમાર સિંહે આ મામલામાં 25 ઓક્ટોબરે ડીસીજીઆઈને એક અરજી કરી હતી. આના પર ડીસીજીઆઈએ પૂણે સ્થિત કંપનીઓથી વધારે ડેટા અને દસ્તાવેજો માંગ્યા હતા. જે બાદ સિંહે હાલમાં જ વધારે ડેટા અને જાણકારીની સાથે એક જવાબ પ્રસ્તુત કર્યો હતો. મનાઈ રહ્યું છે કે સિંહે પોતાના જવાબમાં કહ્યું કે ભારતમાં ચરણ 2/3 ચિકિત્સીય અધ્યયનને સફળતાથી પુરી થવાની સાથે હવે આ દેશ અને દુનિયાભરમાં લોકોને કોવિશીલ્ડ રસીના 100 કરોડથી વધારે ડોઝ અપાઈ ચૂક્યા છે. તેમણે કહ્યુ હતુ કે કોવિશીલ્ડની સાથે આટલા મોટા પાયા પર રસીકરણ અને કોરોનાની રસીને પોતાનામાં રસીની સુરક્ષા અને અસરકારક્તાના પ્રમાણ છે.
ભારત બાયોટેકે કરી હતી રસી વેચવાની માંગ
ત્યારે કેટલાક અઠવાડિયા પહેલા ડીસીજીઆઈને મોકલવામાં આવેલા એક નિવેદનમાં હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકના પૂર્ણકાલિક નિર્દેશક વી કૃષ્ણ મોહને કોવૈક્સીન માટે નિયમિત વેચાણ મંજૂરી માંગતા રસીના સંબંધિત તમામ જાણકારી પુરી પાડી હતી. મોહને અરજીમાં કહ્યું હતુ કે ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ (બીબીઆઈએલ)એ ભારતમાં રસી (કોવૈક્સીન)ના વિકાસ, ઉત્પાદન અને ચિકિત્સીય મૂલ્યાંકન કરવાનો પડકાર લીધો.
સત્તાવાર સૂત્રોએ કહ્યું, સીડીએસસીઓની કોરોના સંબંધીત વિષય વિશેષજ્ઞ સમિતિએ બુધવારે બીજી વાર એસઆઈઆઈ અને ભારત બાયોટેકના આવેદનોની સમીક્ષા કરી અને કેટલીક શરતોની સાથે કોવિશીલ્ડ તથા કોવૈક્સીનના નિયમિત વિપણન મંજૂરીની ભલામણ કરી.