કોરોનાની વર્તમાન લહેર દરમિયાન મૃત્યુ પામેલા લોકોમાંથી 60 ટકા એવા હતા જેમને કાં તો રસી આપવામાં આવી ન હતી અથવા તો માત્ર આંશિક રીતે રસી આપવામાં આવી હતી.
કોરોનાના નિષ્ણાંતોના અભ્યાસમાં આ વાત સામે
ત્રીજી લહેર દરમિયાન માત્ર 23.4 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂર છે
વર્તમાન લહેર દરમિયાન 6 ટકાનો મૃત્યુદર નોંધાયો
જે દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તેમજ અન્ય રોગો પણ છે તેઓ જ મૃત્યુ પામી રહ્યા છે.
કોરોના અંગે એક ખાનગી હોસ્પિટલના નિષ્ણાંતોના અભ્યાસમાં આ વાત સામે આવી છે. કે મોટાભાગના નોંધાયેલા મૃત્યુ 70 વર્ષથી વધુ ઉંમરના લોકો હતા અથવા તેઓ કિડનીની બિમારીઓ, હૃદય રોગ, ડાયાબિટીસ, કેન્સર જેવી અન્ય વિવિધ બિમારીઓથી પણ પીડિત હતા. આ સાથે આ અભ્યાસમાં કહેવામાં આવ્યું હતું કે, હોસ્પિટલોમાં અત્યાર સુધીમાં 82 મૃત્યુમાંથી 60 ટકા એવા લોકો હતાં. જેમણે આંશિક રીતે રસી લગાવી દીધી હતી અથવા તો રસી આપવામાં આવી ન હતી. બીજી તરફ ' દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને પણ આ વાત કહી હતી. જે દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ નબળી છે અને જેમને અન્ય રોગો પણ છે તેઓ મૃત્યુ પામી રહ્યા છે.
ત્રીજી લહેર દરમિયાન માત્ર 23.4 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂર છે
રોગચાળાના ત્રણ લહેરોનો તુલનાત્મક અભ્યાસ એ પણ જણાવે છે કે રોગચાળાના ત્રીજી લહેર દરમિયાન માત્ર 23.4 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂર છે, જ્યારે બીજા લહેર દરમિયાન 74 ટકા અને પ્રથમ લહેર દરમિયાન 63 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂર હતી. અભ્યાસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હાલ દિલ્હીમાં તમામ હોસ્પિટલોમાં કોવિડ-19ને લઈને 41 બાળકોને દાખલ કરવામાં આવેલા આ વય જૂથમાં કોઈ મૃત્યુ થયું નથી. સાતને બાળ ચિકિત્સક સઘન સંભાળ એકમમાં દાખલ કરવાની જરૂર હતી જ્યારે બેને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. છેલ્લા અઠવાડિયા દરમિયાન જ્યારે મોટી સંખ્યામાં કેસ નોંધાયા હતા, ત્યારે બેડની ઉપલબ્ધતાની કોઈ કટોકટી નહોતી.
વર્તમાન લહેર દરમિયાન 6 ટકાનો મૃત્યુદર નોંધાયો
અહેવાલમાં જણાવાયું છે કે પ્રથમ, બીજા અને ત્રીજી લહેર દરમિયાન હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા અનુક્રમે 20,883, 12,444 અને 1378 હતી. પ્રથમ લહેરમાં એકંદર મૃત્યુદર 7.2 ટકા હતો, જે બીજા લહેર દરમિયાન વધીને 10.5 ટકા થયો હતો. વર્તમાન લહેર દરમિયાન 6 ટકાનો મૃત્યુદર નોંધાવ્યો છે. "જોકે છેલ્લા 10 દિવસમાં દાખલ દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે
દિલ્હીમાં સંક્રમણનો દર ઘટીને 18.04 ટકા પહોંચ્યો
શુક્રવારે, દિલ્હીમાં ચેપના 10,756 નવા કેસો અને 38 મૃત્યુ નોંધાયા હતા, જ્યારે ચેપનો દર ઘટીને 18.04 ટકા થયો હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં ત્રીજી લહેર દરમિયાન, 13 જાન્યુઆરીએ 28,867 કેસ નોંધાયા હતા, જે રોગચાળાની શરૂઆત પછી એક જ દિવસમાં સૌથી વધુ કેસ છે. રોગચાળાના કેસોની સંખ્યામાં હવે ઘટાડો થવા લાગ્યો છે.