કોરોનાની લડાઈમાં ભારતમાં 1/3થી વધારે જનસંખ્યાને વેક્સિન અપાઈ છે. આ આંકડો વિશ્વમાં ભારતને વેક્સિનેશનમાં બીજા નંબરે પહોંચાડી ચૂક્યો છે.
દેશમાં કોરોના વાયરસની લડાઈ સતત ચાલુ
ભારત વેક્સિનેશનમાં પહોંચ્યું વિશ્વમાં બીજા નંબરે
ભારતમાં 1/3થી વધારે જનસંખ્યાને વેક્સિન અપાઈ છે
ભારતે કોરોના વેક્સિનેશનને લઈને નવો રેકોર્ડ કાયમ કર્યો છે. શનિવાર સુધીમાં ભારતમાં 40 કરોડ લોકોને વેક્સિનનો ડોઝ અપાયો છે. જો ચીનને બાદ કરીએ તો ભારત સિવાય ક્યાંય આટલા મોટા પ્રમાણમાં વેક્સિનેશન થયું નથી. સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે અત્યાર સુધીમાં દેશમાં 31.84 કરોડ લોકોને વેક્સિન લાગી ચૂકી છે. ભારતમાં વેક્સિનેશન અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું. અહીં 18 વર્ષથી વધારેની ઉંમરનાને પણ વેક્સિન અપાઈ રહી છે.
ભારતમાં 1/3થી વધારે જનસંખ્યાને વેક્સિન અપાઈ છે
આંકડા પર નજર કરીએ તો ભારતમાં 1/3થી વધારે જનસંખ્યાને વેક્સિન અપાઈ છે. અહીં 18 વર્ષથી ઉપરના લોકોને પણ વેક્સિન અપાઈ રહી છે. અત્યાર સુધીમાં 25.2 ટકા લોકોને વેક્સિનના ઓછામાં ઓછા 1 ડોઝ અપાઈ ચૂક્યા છે જ્યારે 8.7 ટકા લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે. ભારતને વેક્સિનેશનના મોર્ચે લાંબી લડાઈ લડી છે અને હજુ થોડી બાકી છે.
100% વેક્સિનેશન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે શનિવારે પણ જમ્મૂ કાશ્મીરમાં 2 પંચાયતમાં 18 વર્ષથી ઉપરના લોકો માટે 100 ટકા વેક્સિનેશન કરાયું. હું આશા વર્ક્સ અને જમ્મૂ કાશ્મીરના રાજોરી જિલ્લામાં 2 પંચાયતના 100 ટકા વેક્સિનેશનથી ખુશ છું, જે રીતે તેઓ વેક્સિનેશન અભિયાનને દુર્ગમ સ્થાનોએ લઈ ગયા છે તે અભિનંદનને પાત્ર છે.
વેક્સિનેશનની ગતિ થઈ ધીમી
વેક્સિનેશન અભિયાનની ગતિ પર નજર કરીએ તો ગયાઅઠવાડિયે ભારતમાં લગભગ 40.1 લાખ શોટ્સ રોજ અપાતા હતા. જૂનના ત્રીજા અઠવાડિયાથી તેમાં 36 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારોએ હાલમાં કહ્યું કે તેમને વેક્સિનના ડોઝની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ઓછી વેક્સિનના કારણે સેન્ટર પણ બંધ કરવા પડી રહ્યા છે. તો અન્ય તરફ માંડવિયાએ બુધવારે કહ્યું કે જુલાઈમાં વેક્સિનના 12 કરોડ ડોઝને બદલે 13.50ની સંખ્યા કરાઈ છે. 17 જુલાઈ સાંજ સુધીમાં લગભગ 64 લાખ ડોઝ અપાયા છે.