સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે કોરોનાની મહામારીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. મંત્રાલયે કહ્યું કે આવનારા 3 મહિના મોટા પડકારોનો સામનો કરવો પડશે. મંત્રાલયના જણાવ્યાનુંસાર શિયાળામાં કોરોના વાયરસ વધી શકે છે એટલું જ નહી આ દિવસોમાં તહેવારો આવે છે. ત્યારે સંક્રમણનો ખતરો વધી શકે છે. દેશમાં કોરોનાના કેસ બુધવાર સુધીમાં 56 લાખને પાર થઈ ચૂક્યા છે. રોજના 1 લાખ કેસ સામે આવી રહ્યા છે.
રોજના 1 લાખ કેસ સામે આવી રહ્યા છે.
આવનારા સમયમાં કોરોનાનું સંક્રમણ વધી શકે છે
શિયાળાની શરુઆત થવાની સાથે તહેવારોની ભરમાર પણ આવશે
હાલની સ્થિતિને જોતાં સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે માસ્ક, સોશિયલ ડિસ્ટેન્સિંગ પર એક વાર વધુ ભાર મુક્યો છે. મંત્રાલયનું કહેવું છે કે આવનારા સમયમાં કોરોનાનું સંક્રમણ વધી શકે છે. કેમ કે શિયાળાની શરુઆત થવાની સાથે તહેવારોની ભરમાર પણ આવશે.
આંકડામાં જણાવ્યાનુંસાર દેશના 7 રાજ્યોમાં કોરોનાનો આંક સતત વધી રહ્યો છે. ત્યારે સંક્રમણના સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પંજાબ અને દિલ્હી છે. દિલ્હીમાં તો થોડાક દિવસ પહેલા કેસ ઓછા થયા અને પછી અચાનક વધી ગયા હતા. સરકારના જણાવ્યાનુંસાર જે રીતે કેસ વધી રહ્યા છે તેનાથી લોકોએ વધારે સાવધાની વર્તવાની જરુર છે. ઉલ્લેખનીય છે કે દેશના 7 રાજ્ય સરકારોની સામે મોટા પડકાર છે. જેના કારણે બુધવારે પીએમ મોદી 7 રાજ્યોની સમીક્ષા બેઠક કરશે.
મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પંજાબ અને દિલ્હીના સીએમ અને મંત્રીઓ સાથે પીએમ મોદી બેઠક કરી કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે. દેશમાં કોરોનાના 63 ટકા એક્ટિવ કેસ 7 રાજ્યોમાં છે આજ 7 રાજ્યોમાં 77 ટકા મોતના આંક પણ સામે આવ્યા છે.