કોરોના વાયરસનાં કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. અત્યાર સુધી હજારો લોકોએ કોરોના વાયરસનાં કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે લાખો લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. વિશ્વનાં ઘણા દેશો કોરોના કહેરથી પરેશાન છે ત્યારે ભારત માટે કોરોના વાયરસને લઇ સારા સમાચાર સામે આવ્યા છે.
કોરોના વાયરસના ટેસ્ટની કિટ શોધાઈ
માત્ર અઢી કલાકમાં આવી જશે ચેપનો રીપોર્ટ
કોરોના વાયરસના કારણે અત્યાર સુધી હજારોએ ગુમાવ્યા જીવ
કોરોના વાયરસનો ટેસ્ટ કરવામાં આવે ત્યારે તેની પુષ્ટિ કરવામાં લાંબો સમય લાગે છે ત્યારે કોરોના વાયરસની કિટની મદદથી હવે તે સમયને ઘટાડી શકાશે. જર્મનીની એક કંપનીએ આ કિટ શોધી હોવાનો દાવો કર્યો છે. જે અનુસાર માત્ર અઢી કલાકમાં જ જાણી શકાય છે કે વ્યક્તિને ચેપ લાગ્યો છે કે નહીં
એક અહેવાલ મુજબ વોલ્ક્માર ડેનર નામના વ્યક્તિએ આ કિટનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે તેમની કંપની દ્વારા નિર્માણ કરવામાં આવેલ કિટની મદદથી ખૂબ ઝડપથી કોરોના વાયરસનો ટેસ્ટ કરી શકાશે. આ કિટની મદદથી દર્દીઓની ઓળખ ખૂબ જલ્દી કરી શકાશે.
આ અહેવાલ મુજબ આ ડીવાઈસ જર્મનીમાં એપ્રિલ મહિનામાં ઉપલબ્ધ થઇ જશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડીવાઈસ પણ ઉપલબ્ધ થઇ જશે. આ જ ડીવાઈસનો ઉપયોગ ઘણી બધી હોસ્પિટલ, લેબોરેટરીમાં ન્યૂમોનિયા અને વાઈરલ બીમારીઓના ટેસ્ટ માટે થતો રહ્યો છે.