ભારતમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આ મહામારી ભારતમાંથી વિદાય લે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.
કોરોના વાયરસના નવા કેસની સંખ્યામાં ઘટાડો
ભારતમાં કોરોના થઇને મટી ગયો તેવા લોકોની સંખ્યા ખૂબ જ વધારે
વૈજ્ઞાનિકો અનુસાર મોટા ભાગની વસ્તી થઇ ગઈ છે સંક્રમિત
મહામારીના અંતિમ દિવસો
કોરોના વાયરસને લઈને જે પ્રકારે આંકડા આવી રહ્યા છે તે મુજબ કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં હવે મહામારી ધીમે ધીમે સમાપ્ત થઇ રહી છે. જોકે વાયરસના જે કેસ સામે આવે છે તેના કરતા ઘણા બધા કેસ એવા છે જે ક્યારેય પકડમાં આવતા જ નથી. તો સવાલ એ થાય છે કે હવે જો નોંધાયેલા કેસ ઘટી રહ્યા છે તો જે કેસ પકડમાં જ નથી આવતા શું એ પણ ઘટી રહ્યા છે ?
ભારતમાં કોરોના કેસ પકડમાં જ આવ્યા હોય તે આંકડો ખૂબ મોટો
ભારતમાં એક અનુમાન અનુસાર દર એક કમ્ફર્મ કેસની સામે આશરે 90 કેસ એવા છે જેની જાણ જ થઇ શકી. દિલ્હીમાં દર એક કેસની સામે 25 કેસને ઓળખી ન શકાયા જ્યારે યુપી અને બિહારમાં આ આંકડૉ 300ની પાસે રહ્યો.
ફેબ્રુઆરી સુધીમાં કોરોના મહામારીનો અંત
વૈજ્ઞાનિકો દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું હતું કે આ મોડલ અનુસાર ભરતામાં વર્ષ 2021ના ફેબ્રુઆરીમાં મહામારી સમાપ્ત થઇ જશે. આ પેનલ દ્વારા રાજ્યવાર જે આંકડા આપવામાં આવ્યા તે અનુસાર મોટા ભાગના રાજ્યોમાં દર એક કેસની સામે 70થી 120 કોરોના કેસ ઓળખી શકાયા નથી. જે પેનલ દ્વારા આખું રિસર્ચ કરવામાં આવ્યું તેમાં હૈદરાબાદ IIT સહિત વેલ્લૂર, કોલકાતા, બેન્ગ્લુરુંની વૈજ્ઞાનિક સંસ્થાઓ સામેલ થઇ હતી.
શું છે મુખ્ય કારણ
પેનલ અનુસાર ભારતમાં ફેબ્રુઆરીમાં ફેબ્રુઆરી મહિનામાં ભારતમાં મહામારી સમાપ્ત થઇ જશે તે બાદ કોઈ જ પિક આવશે નહીં આટલું જ નહીં એક્ટિવ કેસની સંખ્યા પણ વીસ હજારની આસપાસ રહેશે. પેનલ આ પાછળ મુખ્ય કારણ એ આપે છે કે ભારતમાં જે કેસ પકડમાં જ નથી આવ્યા તેની સંખ્યા ખૂબ વધી ગઈ છે. દેશમાં 60 ટકા વસ્તી વાયરસથી સંક્રમિત થઇ છે અથવા તો તેની સામેની શક્તિ વિકસિત કરી છે.
ભારતને કેમ થયો આ ફાયદો
ભારતમાં મોટા ભાગની વસ્તી કોરોનાથી સંક્રમિત થઇ જવાથી ભારતને જ ફાયદો થયો હોવાનું આ પેનલ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. અન્ય દેશો જ્યાં વસ્તી કોરોનાથી સંક્રમિત નથી થઇ ત્યાં વાયરસની વારંવાર પિક જોવા મળે છે જ્યારે ભારતમાં સપ્ટેમ્બર સિવાય પિક જોવા જ નથી મળી. આમ ભારતમાં યુવાનોની સંખ્યા વધારે અને વાયરસથી સંક્રમિત થઇ ગયા પરંતુ પકડમાં જ ન આવ્યા હોય તેવા લોકોની સંખ્યા વધારે હોવાથી તે એક વરદાન સાબિત થયું છે.