કોરોના મહામારીમાં મોદી સરકારે દેશના લાખો ટેક્સપેયર્સને વ્યાજ દરમાં ઘટાડા, લેટ ફી માફી અને ચોક્કસ રિટર્ન દાખલ કરવાની તારીખમાં વધારા જેવી રાહતો આપી છે.
જીએસટી હેઠળ ટેક્સપેયર્સ માટે કેટલીક છૂટની જાહેરાતો
વ્યાજ દરમા ઘટાડાની જાહેરાત
કમ્પોઝિટ સ્કીમ હેઠળના ટેક્સપેયર્સને પણ રાહત
લેટ ફી માફી હેઠળ કેટલાક પગલાની જાહેરાત
કેન્દ્રીય નાણા મંત્રાલયે રવિવારે જીએસટી હેઠળ ટેક્સપેયર્સ માટે કેટલીક છૂટની જાહેરાતો કરી છે. જે નીચે પ્રમાણે છે.
(1) સરેરાશ 5 કરોડથી વધારેનુ ટર્નઓવર ધરાવતા લોકો માટે- ટેક્સ ચુકવવાની છેલ્લી તારીખથી પહેલા 15 દિવસ સુધી 9 ટકા વ્યાજ દર અને ત્યાર બાદ 18 ટકા વ્યાજ વસૂલાશે.
(2) કમ્પોઝિટ સ્કીમ હેઠળના ટેક્સપેયર્સ માટે- ટેક્સ ચુકવવાની છેલ્લી તારીખથી પહેલા 15 દિવસ સુધી 0 ટકા વ્યાજ દર અને ત્યાર બાદ 15 દિવસ સુધી 9 ટકા વ્યાજ વસૂલાશે.
લેટ ફી માફી હેઠળ નીચેના પગલાની જાહેરાત કરવામાં આવી છે.
(1) 5 કરોડથી ઉપરનું સરેરાશ વાર્ષિક ટર્નઓવર ધરાવતા લોકો માટે- ફોર્મ GSTR-3B માં રિટર્નના સંબંધમાં 30 દિવસ સુધી લેટ ફી માફી
(2) GSTR-1, IFF, GSTR-4 and ITC-04 ફાઈલિંગ માટે છેલ્લી તારીખ લંબાવાઈ છે.
(3) FORM GSTR-1 and IFF ફાઈલિંગની છેલ્લી તારીખ 15 દિવસ સુધી લંબાવી દેવામાં આવી છે. જ્યારે ફોર્મ GSTR-4 2020-21 માટેની તારીખ 30 એપ્રિલથી લંબાવીને 31 મે 2021 કરી દેવાઈ છે. જાન્યુઆરી-માર્ચ 2021 માટે FORM ITC-04 દાખલ કરવાની છેલ્લી તારીખ 31 મે, 2021 સુધી લંબાવી દેવામાં આવી છે.
એક્ટિવ કેસની સંખ્યા વધીને 33 લાખને પાર
દેશમાં સંક્રમણના મામલા શુક્રવારની સરખામણીએ શનિવારે થોડા ઓછા કેસ આવ્યા છે. ગત 24 કલાકમાં આની સંખ્યા 3, 92, 459 રહી છે. જો કે દેશમાં કોરોનાથી એક્ટિવ કેસની સંખ્યા વધીને 33 લાખને પાર થઈ ગઈ છે. આ દરમિયાન કોરોનાના કારણે 3684 લોકોએ જીવ ગુમાવ્યો છે.કોરોનાના 3 લાખ 92 હજાર 459 નવા મામલા સામે આવ્યા બાદ સંક્રમિતોની કુસ સંખ્યા વધી 1,95,49,910 થઈ ગઈ તથા 3684 લોકોના મોત થયા છે એ બાદ કુલ મોતની સંખ્યા વધીને 2,15,523 થઈ ગઈ છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 33,43,910 થઈ ગઈ છે. જે સંક્રમણના કુલ કેસના 17.06 ટકા છે. તથા દર્દીઓના સાજા થવાનો દર વધારે ઘટીને 81.84 ટકા રહી ગયો છે. આંકડા અનુસાર દેશમાં સંક્રમણ બાદ સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 1,59,81,772 થઈ ગઈ છે. મૃત્યુદર 1.11 ટકા છે. આઈસીએમઆરના જણાવ્યાનુસાર 30 એપ્રિલ સુધી 28,83,37,385 નમૂનાની તપાસ કરવામાં આવી છે. જેમાં 19, 45, 299 નમૂનાની શુક્રવારે તપાસ કરવામાં આવી છે.