અમદાવાદમાં મુંબઈ કરતાં પણ વધુ ગતિથી કોરોના ફેલાઈ રહ્યો છે. અમદાવાદમાં એક દિવસમાં મુંબઈ કરતાં 2000 કેસ વધારે નોંધાયા છે.
અમદાવાદમાં કોરોના ચિંતાજનક સ્થિતિમાં
8529 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હડકંપ
પોઝિટિવ રેશિયો 30 ટકાને પાર
અમદાવાદમાં કોરોના ચિંતાજનક સ્થિતિમાં
ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 8529 કેસ નોંધાયા. જેમાંથી 6 દર્દીનું મોત થયા છે. જ્યારે 3911 દર્દીઓએ કોરોનાને માત આપી.ઉલ્લેખનીય છે કે,1લી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અમદાવાદમાં 54,376 કેસ સામે આવ્યા છે. જેમાંથી 38,722 કેસ માત્ર 11 જાન્યુઆરીથી 19 જાન્યુઆરીમાં આવ્યા છે. બીજી તરફ 19 જાન્યુઆરી સુધીમાં અમદાવાદમાં કુલ 15 દર્દીના મોત થયા છે.
એક જ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં 4612નો વધારો
અમદાવાદમાં મુંબઈ કરતાં પણ વધુ ગતિથી કોરોના ફેલાઈ રહ્યો છે. અમદાવાદમાં એક દિવસમાં મુંબઈ કરતાં 2000 કેસ વધારે નોંધાયા છે. મુંબઈમાં 24 કલાકમાં 6032 કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં 8529 લોકો સંક્રમિત થયા. આ પહેલાં 18 જાન્યુઆરીએ અમદાવાદમાં 5998 કેસ નોંધાયા હતાં. જ્યારે મુંબઈમાં 6149 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં અત્યાર સુધી 8,76,166 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી
બીજી તરફ રાજ્યમાં 9828 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,76,166 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 89.67 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 12 મોત થયા. બુધવારે 2,02,592 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.