સરપંચએ ગામની સરકારી જમીન અને તેની બાજુમાં આવેલી બિનખેતી પાત્ર જમીન એક ખાનગી કંપનીને ભાડે આપી દેતા વિવાદ સર્જાયો છે. એટલુંજ નહીં કંપનીના ગોડાઉન માંથી ઊડતી કેમિકેલની દસ્ટ ને લીધે લોકોને કેન્સર જેવી ગંભીર બીમારી થવાનો ભય ઉભો થયો છે. લોકોએ સ્થળ પર જઈ સરપંચ સામે વિરોધ નોંધાવી સખત કાર્યવાહીની માંગણી કરી હતી.
સુરતના હજીરા વિસ્તારમાં અનેક ઔદ્યોગક એકમો આવેલા છે મોટા એકમોને પગલે નાની નાની કંપનીઓ પણ સ્થાયી થઇ રહી છે ત્યારે આ કંપનીઓ સરકારી જમીનોને ભાડે લઇ લેતા હોય છે આવો જ એક કિસ્સો હજીરા નજીક આવેલા રાજગરી ગામે સામે આવ્યો છે સરપંચ દ્વારા સરકારી જમીનને ભાડે આપી દેવામાં આવી છે. આ જમીન ભાડે આપવામાં આવ્યા બાદ ત્યાં નાખવામાં આવતી દસ્ટને કારણે ગામ લોકોને કેન્સરનો ડર સતાવી રહ્યો છે ગામ લોકો ડર્યા છે તેથી જ આ જગ્યા ઉપર પહોંચીને તમણે વિરોધ નોઁધાવ્યો હતો.