કોરોના વાયરસના વધી રહેલા કેસની વચ્ચે ભારતે મંગળવારે વધુ 3 દેશોના વિઝા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમા ફ્રાન્સ, જર્મની અને સ્પેન સામેલ છે. આ દેશોથી આવનાર નાગરિકોના નિયમિત અને ઇ-વિઝાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમણે હજુ સુધી ભારતમાં પ્રવેશ કર્યો નથી.
કોરોના વાયરસના વધી રહેલા કેસની વચ્ચે ભારતે મંગળવારે વધુ 3 દેશોના વિઝા પર પ્રતિબંધ લગાવ્યો
ફ્રાન્સ, જર્મની અને સ્પેનથી આવનાર નાગરિકોના નિયમિત અને ઇ-વિઝાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા
ઇમિગ્રેશન બ્યૂરો તરફથી મંગળવારે મોડી રાત્રે જારી એક સૂચનામાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં હજુ સુધી પ્રવેશ નહીં કરનારા ફ્રાન્સ, જર્મની અને સ્પેનના એવા નાગરિક જેમના નિયમિત અને ઇ-વિઝા અત્યાર સુઘીમાં જારી થઇ ચૂક્યા છે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી મંગળવારે જારી એડવાઇઝરીમાં લોકોને કહેવામાં આવ્યું છે કે તે ચીન, ઇટલી, ઇરાન, રિપબ્લિક ઓફ કોરિયા, જાપાન, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીની યાત્રા કરવાથી બચે. કોરોના સંક્રમણને જોતા તેઓ આ દેશોમાં બિન જરૂરી યાત્રા કરવાથી દૂર રહે. આ ઉપરાંત ઇટલી અને દક્ષિણ કોરિયાથી આવનારા યાત્રાળુઓ માટે કોવિડ-19 નેગેટીવ સર્ટિફિકેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.
ચીનની બહાર કોરોના વાયરસ 100થી વધારે દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. ચીન બાદ ઇટલી અને ઇરાનમાં વાયરસને કારણે સૌથી વધારે લોકોના મોત થયા છે. ઇટલીમાં કોરોના વાયરસને કારણે 631 લોકોના મોત થયા છે અને 10,000થી વધારે લોકો સંક્રમિત થયા છે.