સતત ઘટી રહેલા મામલામાં નજીવો વધારો નોંધાયો. એક દિવસમાં કોરોનાના 43, 733 નવા મામલા આવ્યા.
43, 733 નવા મામલા નોંધાયા
દેશમાં 2.97 કરોડ લોકો કોરોનાને હરાવી ચૂક્યા
રિકવરી રેટ હવે 97.18 ટકા રહ્યો
43, 733 નવા મામલા નોંધાયા
દેશમાં કોરોનાના નવા મામલા સતત 50 હજારથી ઓછા રહ્યા. બુધવારે ગત એક દિવસમાં કોરોનાના 43, 733 નવા મામલા નોંધાયા છે. આ સાથે દેશમાં હાજર કુલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4, 59, 920 રહી છે. એટલું જ નહીં રિકવરી રેટ વધીને 97.18 ટકા થઈ ગયો છે. જો દેશમાં મળનારા કેસની સરખામણી કરીએ તો એક્ટિવ કેસની સંખ્યા દોઢ ટકા રહી ગઈ છે. અત્યાર સુધીમાં દેશમાં 2.97 કરોડ લોકો કોરોનાને હરાવી ચૂક્યા છે. ત્યારે ગત એક દિવસમાં 47, 240 લોકોને કોરોનાને હરાવીને સાજા થયા છે.
રિકવરી રેટ હવે 97.18 ટકા રહ્યો
આ સાથે સતત 55માં દિવસે કોરોનાના નવા મામલાની સરખામણીએ રિકવર થનારા લોકોની સંખ્યા વધારે રહી છે. રિકવરી રેટ હવે 97 ટકાને પાર કરતા 97.18 ટકા રહ્યો છે. આ ઉપરાંત વીકલી પોઝિટિવિટી પણ સતત 5 ટકાથી ઓછી બની રહી છે. હાલમાં 2.39 ટકા છે. ત્યારે ડેલી પોઝિટિવિટી રેટ 2.29 ટકા રહ્યો છે. ગત 16 દિવસમાં સતત આ દર 3 ટકાથી ઓછો બની રહ્યો છે. કોરોનાના મામલાની સ્પીડમાં ઘટાડાનું મુખ્ય કારણ રસીકરણ અને બીજી લહેરના નબળા પડવાને મનાઈ રહ્યું છે.
સતત 9માં દિવસે 50 હજારથી ઓછા મામલા
જોકે આ દરમિયાન તેમને એક રાહતના સમાચાર પણ આપ્યા છે. સતત 9માં દિવસે 50 હજારથી ઓછા મામલા આવ્યા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, આસામ, કર્ણાટકમાં વધારે મામલા નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે રાજ્યો, કેન્દ્ર શાસિત ક્ષેત્રો અને ખાનગી હોસ્પિટલોની પાસે લોકોને આપવા માટે 1.66 કરોડથી વધારે રસીના ડોઝ ઉપલબ્ધ છે.
રસીના 37.07 કરોડથી વધારે ડોઝ અપાઈ ચુક્યા છે
મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી તમામ સંસાધનો માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રસીના 37.07 કરોડથી વધારે ડોઝ અપાઈ ચુક્યા છે અને 23,80, 000 જેટલા ડોઝ હજું પહોંચાડવામાં આવી રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે આમાંથી ખરાબ થયેલી માત્રા સહિત કુલ ખપત 354,06, 0197 ડોઝ છે.