દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દેશમાં કોરોનાના રોજ 34 હજારથી વધારે દર્દીઓ જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં ભારતમામં કોરોનાના દર્દીની સંખ્યા 10 લાખ 77 હજારને પાર પહોંચી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન IMAનું કહેવું છે કે ભારતમાં હવે કોરોનાનો કમ્યુનિટી સ્પ્રેડ શરૂ થયું છે અને સ્થિતિ વધારે ખરાબ બની રહી છે.
કોરોનાના વધતા વિસ્ફોટે વધારી ચિંતા
IMAએ કહ્યું ભારતમાં કોરોનાનું કમ્યુનિટી સ્પ્રેડ થયું શરૂ
ભારતની સ્થિતિ કોરોનાને લઈને ખૂબ જ ખરાબ
IMA હોસ્પિટલ બોર્ડ ઓફ ઈન્ડિયાના ચેરપર્સન ડૉ. વી. કે. મોંગાએ કહ્યું કે દેશમાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ સ્થિતિ ખતરનાક છે. તેઓએ કહ્યું કે દેશમાં રોજ 30 હજારથી વધારે કેસ આવી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં તે વધારે ફેલાઈ રહ્યો છે જે ખતરારૂપ છે. આ કમ્યુનિટી સ્પ્રેડ જોવા મળી રહ્યું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો છે આ દાવો
ડૉ. મોંગાનું આ નિવેદન ખાસ એટલા માટે છે કારણકે સ્વાસ્થ્ય મંત્રાલય સતત દાવો કરી રહ્યું છે કે ભારતમાં કોરોનાના વાયરસનું કમ્યુનિટી સ્પ્રેડ શરૂ થયું નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આ દાવાને અનેક હેલ્થ એક્સપર્ટ્સ પણ ચેલેન્જ કરી ચૂક્યા છે. આ સાથે કોરોના વાયરસના દર્દીના કેસમાં ભારત દુનિયામાં ત્રીજા સ્થાને પહોંચી ચૂક્યું છે.
કોરોનાના કેસને લઈને ભારતનો ક્રમ ત્રીજો
અમેરિકા અને બ્રાઝિલ બાદ કોરોનાના સૌથી વધુ દર્દીઓ ભારતમાં છે. શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ભારતમાં કોરોનાના 10 લાખ 38 હજાર કેસ આવી ચૂક્યા છે. તેમાંથી 26 273 લોકો મૃત્યુ પામ્યા છે. તો સાથે જ 6 લાખ 53 હદાર 751 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ડૉ. મોંગાનું કહેવું છે કે હવે કોરોના વાયરસ ગામડાઓ તરફ ફેલાઈ રહ્યો છે. તેના કારણે સ્થિતિ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યું છે. તેઓએ કહ્યું કે દિલ્હીમાં કોરોનાને કંટ્રોલમાં લઈ શકાયો છે. પણ મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ગોવા, મધ્યપ્રદેશના છેવાડાના વિસ્તારોની સ્થિતિ ચિંતાજનક બની છે. રાજ્ય સરકારોએ સાવધાની રાખવી પડશે અને કેન્દ્ર સરકારની મદદ લેવી જોઈશે.