કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને ગુજરાતના અમદાવાદમાં કોરોનાના આજે એકસાથે 50 કેસ આવતા તંત્ર વધુ સતર્ક બન્યું છે અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે હાલ રાજકોટમાં કોરોના વાયરસના નવા 2 કેસ સામે આવ્યા છે. જેમાં એક 67 અને બીજી 35 વર્ષની મહિલાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
રાજકોટમાં કોરોના વાયરસના વધુ 2 કેસ પોઝિટીવ
જંગલેશ્વર વિસ્તારમાંથી વધુ 2 કેસ પોઝિટીવ
આરોગ્ય વિભાગ દોડતું થયું
નોંધનીય છે કે, આ બંને મહિલાઓ રાજકોટની જંગલેશ્વર શેરી નં. 27માં રહે છે. આ અત્યાર સુધીમાં આ વિસ્તારમાં કુલ 4 કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ગત મંગળવારે યુવાનને પોઝિટિવ કેસ આવ્યો હતો તે પણ જંગલેશ્વર શેરી નં.27માં રહે છે. આથી એક શેરીમાં ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા છે.
9 એપ્રિલ, 2020 સાંજે 7.50 વાગ્યા સુધીના આંકડા
જિલ્લો
પોઝિટિવ કેસ
સાજા થયા
મૃત્યુ
Ahmedabad
142
8
6
Amreli
0
0
0
Anand
2
0
0
Aravalli
0
0
0
Banaskantha
0
0
0
Bharuch
0
0
0
Bhavnagar
18
1
2
Botad
0
0
0
Chhota Udaipur
2
0
0
Dahod
1
0
0
Dang
0
0
0
Devbhoomi Dwarka
0
0
0
Gandhinagar
13
2
0
Gir Somnath
2
0
0
Jamnagar
1
0
1
Junagadh
0
0
0
Kutch
2
0
0
Kheda
0
0
0
Mahisagar
0
0
0
Mehsana
2
0
0
Morbi
1
0
0
Narmada
0
0
0
Navsari
0
0
0
Panchmahal
1
0
1
Patan
12
0
1
Porbandar
3
1
0
Rajkot
13
4
0
Sabarkantha
1
0
0
Surat
24
5
4
Surendranagar
0
0
0
Tapi
0
0
0
Vadodara
22
6
2
Valsad
0
0
0
TOTAL
262
26
17
65 દર્દીના રિપોર્ટ નેગિટિવ આવ્યા
રાજકોટમાં આજે સૌથી વધુ કોરોનાના વાયરસના શંકાસ્પદ 68 કેસ નોંધાયા હતા. આ તમામના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જોકે જેમાંથી 65 દર્દીના રિપોર્ટ નેગિટિવ આવ્યા હતા.
જંગલેશ્વર વિસ્તારને સંપૂર્ણ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો
આ મામલે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું કે જંગલેશ્વર વિસ્તારને સંપૂર્ણ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. જ્યાં કલસ્ટર સ્ટ્રેટેજી લાગુ કરવામાં આવી છે. જેથી અહીં કોઈ ઘરની બહાર નીકળી નહીં શકે. જો કોઈ વ્યક્તિને સામાનની જરૂર પડશે. તો તંત્ર દ્વારા પહોંચાડવામાં આવશે. અહીંથી 68 જેટલા કેસના રિપોર્ટ કરવામાં આવ્યાહતા જેમાંથી 65 ના રિપોર્ટ નેગિટિવ આવતા જે મોટી રાહતના સમાચાર છે.
વડોદરાના 2 વિસ્તાર કલસ્ટર ક્વોરન્ટાઇન જાહેર કરાયા
રાજ્યના વડોદરામાં કોરોના પોઝિટિવ સંખ્યામાં વધારો જોતાં તંત્ર દ્વારા શહેરના બે વિસ્તાર નાગરવાડા અને તાંદલજાને રેડજોન જાહેર કરવામાં આવ્યાં છે. આ સાથે તંત્રએ તાંદલજાને રેડ જોન જાહેર કરી કલસ્ટર ક્વોરન્ટાઇન જાહેર કર્યો છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર તાંદલજા વિસ્તારને એટલા માટે રેડ જોન જાહેર કરવામાં આવ્યો છે, કારણ કે ત્યાંના લોકો નાગરવાડાના કોરોના પોઝિટિવ લોકોના સંપર્કમાં હતા. જેમાં જેને લઇને 1900 ઘરમાં રહેતા 7 હજાર લોકોને સંપૂર્ણ સીલ કરી દેવામાં આવ્યાં છે. આ અંગેનો નિર્ણય તંત્ર ઉચ્ચસ્તરીય યોજાયેલી બેઠક બાદ લેવામાં આવ્યો છે.
વડોદરામાં વધુ 4 પોઝિટિવ કેસ આવ્યા સામે
કોરોના પોઝિટિવના 3 દર્દીઓ નાગરવાડા વિસ્તારના અને નીલકંઠ હોસ્પિટલના ડોક્ટરને કોરોના પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ દર્દી ડોક્ટર આર.વી દેસાઇ રોડનો વતની છે.
પોઝિટિવ ડોક્ટર ગોધરાના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યો હતો. વાડી વિસ્તારમાં આવેલ નીલકંઠ હોસ્પિટલમાં કામ કરતો હતો.