દેશભરમાં કોરોના વાયરસનો કહેર ચાલુ છે ત્યારે લોકડાઉનને કારણે મજૂરો વતન પહોંચવા માટે આતુર બન્યા છે. પરંતુ સતત તેમની સાથે દુર્ઘટનાઓ બની રહી છે. આજે પશ્ચિમ બંગાળમાં શ્રમિકોથી ભરેલી બસ પલટી ખાઈ જવાના કારણે 15 શ્રમિકો ઘાયલ થયા હતા. ઘટના બાદથી બસ ડ્રાઈવર ફરાર છે.
પશ્ચિમ બંગાળમાં મજૂરોથી ભરેલી બસ પલટી
15 શ્રમિકો થયા ઈજાગ્રસ્ત, બસ ડ્રાઈવર ફરાર
ઘાયલોને ઘુપગુડીની હોસ્પિટલમાં કરાયા એડમિટ
મજૂરોથી ભરેલી બસ પલટી ખાઈ જવાની ઘટના જલપાઈગુડીમાં બની હતી. બસ મોડીરાતે પલટી મારતાં આ ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 4 મહિલાઓ, 3 બાળકો સહિત કુલ 15 લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ ઘુપગુડી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને રાહતનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
પોલીસે શરૂ કરી તપાસ
ઘટનાને લઈને ધુપગુડી પોલીસે તપા શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ઘટના બાદ થી જ બસનો ડ્રાઈવર ફરાર છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.