કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. દુનિયાભરને વ્યપારમાં કોરોનાનાં કારણે અબજો રૂપિયાનું નુકસાન થયું છે. ભારતમાં પણ શેરબજાર ધડામ થઇ ગયા છે. દિવસેને દિવસે ખૂબ ઝડપથી પગપેસારો કરી રહેલા કોરોના વાયરસ સામે રાજ્ય સરકારો સાવચેત બની છે જે બાદ મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે મોટા નિર્ણયો લીધા છે. મુખ્યમંત્રીએ મોટા શહેરોમાં મોલ, સિનેમા હોલ, જીમ અને સ્વીમીંગ પૂલ બંધ કરવાના આદેશ આપ્યા છે.
કોરોનાનો કોહરામ યથાવત, ભારતમાં કુલ કેસ 81 થયા
મહારાષ્ટ્રમાં 31 માર્ચ સુધી લાગુ થશે નિર્ણય
મહારાષ્ટ્ર પહેલાં અન્ય ઘણા રાજ્યો પણ લઇ ચુક્યા છે નિર્ણય
કોરોના વાયરસથી બચવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. સરકારે રાજ્યનાં પાંચ શહેરોમાં કોરોનાવાયરસને રોગચાળો જાહેર કરી દીધો છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુંબઈ, નવી મુંબઈ, નાગપુર, પુણે અને પિંપરી ચીંચવાડનાં કોરોના વાયરસને રોગચાળો જાહેર કરવામાં આવ્યો છે જેથી હવે આ શહેરોમાં બધા જ જીમ, સિનેમા હોલ, સ્વીમીંગ પૂલ શુક્રવાર રાતથી 31 માર્ચ સુધી બંધ રહેશે.
ભારતનાં સ્વાસ્થ્ય મંત્રીએ દેશમાં કોરોના વાયરસનાં 81 કેસની પુષ્ટિ કરી છે. કર્ણાટક રાજ્યમાં કોરોના વાયરસનાં કારણે પ્રથમ મોત થઈ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં 17 કેસ નોંધાયા છે. જેમાં 10 કેસ પુણેમાં છે. મુંબઈ અને નાગપુરમાં પણ કોરોના વાયરસનાં 3-3 કેસ નોંધાયા છે.
ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી કે રાજયની શાળાઓને આગામી આદેશ સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે પરંતુ રાજ્યમાં લેવાઈ રહેલી ssc એક્ઝામ રએબ્તાં મુજબ જ રહેશે. મહારાષ્ટ્ર પહેલાં કેરળ, દિલ્હી અને કર્ણાટકમાં પણ આવા જ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કર્ણાટકે પણ શુક્રવારે જ મોલ, સિનેમા હોલ, નાઈટ ક્લબ બંધ કરવાના આદેશ કર્યા હતા.