કોરોના વાયરસનો સામનો કરી રહેલા ભારતને નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે ગરીબો અને જરૂરીયાતમંદો માટે રાહત પેકેજનું એલાન કર્યું છે. તેના પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ મોદી સરકાર દ્વારા યોગ્ય દિશામાં ઉઠાવેલું પગલું છે.
ડૉક્ટરો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે 50 લાખ રૂપિયાના વીમા કવરની જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના વાયરસ મહામારી અને તેના આર્થિક પ્રભાવનો સામનો કરવા માટે ગુરુવારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 1.70 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજની જાહેરાત કરી. આ પેકેજ જરૂરિયાતમંદોની મદદ માટે આપવામાં આવશે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા કહ્યું, નાણાકીય મદદની આજે સરકારની જાહેરાત, સાચી દિશામાં પહેલુ પગલુ છે. ભારત પર તેના ખેડૂતો, છૂટક મજૂરી કામ કરનાર, શ્રમિકો, મહિલાઓ અને વૃદ્ધોનું દેવું છે, જે આ લૉકડાઉનનો સામનો કરી રહ્યા છે.
The Govt announcement today of a financial assistance package, is the first step in the right direction. India owes a debt to its farmers, daily wage earners, labourers, women & the elderly who are bearing the brunt of the ongoing lockdown.#Corona
નાણામંત્રીએ રાહત પેકેજમાં તમામ વર્ગના લોકોને મદદ કરવાના રુપે આ પગલુ ઉઠાવ્યું છે. તેઓએ કોરોના વાયરસ મહામારી સામે લડી રહેલા ડૉક્ટરો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે 50 લાખ રૂપિયાના વીમા કવરની જાહેરાત પણ કરી છે.