દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેંજરીવાલે કહ્યુ કે દિલ્હીમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. પરંતુ સ્થિતિ નિયંત્રણમાં છે. ગભરાવાની જરુર નથી. સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. 186 લોકોમાં કોરોનાના લક્ષણો દેખાયા નહોતા. આથી દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે લોકડાઉનમાં કોઈ પણ છુટ આપવાથી ઈન્કાર કરી દીધો છે. લક્ષણ ન દેખાતા હોઈ તબીબો સહિત તંત્રની ચિંતામાં વધારો થયો છે.
કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે
દિલ્હીમાં લોકડાઉનમાં છુટ નહીં મળેઃ અરવિંદ કેજરીવાલ
186 લોકોમાં લક્ષણો દેખાયા જ નહીં લક્ષણો
દેશમાં કોરોના વાયરસના નવા સંક્રમિત દર્દીની રોજ ખરાઈ થઈ રહી છે. દિલ્હીમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે લોકડાઉનમાં કોઈ પણ છુટ આપવાથી ઈન્કાર કરી દીધો છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે રાજધાનીમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે પણ સ્થિતિ નિયંત્રણમાં છે. ગભરાવાની જરુર નથી. સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. સાથે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે નિર્ણય લીધો છે કે લોકડાઉનમાં કોઈ પણ છુટ આપવામાં નહીં આવે. તેમણે કહ્યું કે હાલની સ્થિતિ જોતા છુટછાટ આપવી જરુરી નથી લાગી રહી.
ત્યારે દિલ્હીમાં શનિવારે મળેલા કોરોના વાયરસના દર્દીઓને લઈને મુખ્યમંત્રી કેજરીવાલે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે‘ શનિવારે દિલ્હીમાં મળેલા 186 દર્દીઓમાં કોરોનાના લક્ષણ નથી જોવા મળ્યા. તેમને ખબર નહોતી કે તેમને કોરોના વાયરસ છે. આ વધારે ચિંતાજનક છે.’
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં દેશમાં કોરોના કોરોના સંક્રમિત કુલ 15712 દર્દીઓ જોવા મળ્યા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 12289 થઈ છે. જ્યારે હાલ સુધીમાં કુલ 2014 દર્દીઓ સાજા થયા છે. ભારતમાં કોરોનાથી કુલ 507 દર્દીઓના મોત થયા છે તો રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 186 નવા કેસ આવ્યા છે.