દુનિયામાં કોરોના વાયરસના કારણે અનેક દેશો પ્રભાવિત થઈ ચૂક્યા છો ત્યારે સૌથી વધુ પ્રભાવ ચીન અને ઈટાલીમાં જોવા મળી રહ્યો છે. ચીનમાં હાલ સુધી 80735 લોકો કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. 3119 લોકોના મોત થયા છે તો ઈટાલીમાં 7375 લોકો સંક્રમિત થયા છે. ચીન બાદ હાલ સુધી જો કોઈ દેશમાં કોરોનાથી સૌથી વધુ મોત થયા હોય તો તે ઈટાલી છે. અહીં રવિવારે એક દિવસમાં 133 મોત અને હાલ સુધી 366 લોકોના મોત થઈ ચૂક્યા છે.
ઈટાલીમાં ફેલાયો છે કોરોનાનો કહેર
1 દિવસમાં થયા 133 મોત
કોરોનાના કારણે ઈટાલી બન્યું બીજું વુહાન
ઈટાલીમાં સરકારે આ આદેશથી લોમ્બાર્ડી, મોડેના, પર્મા, પિયાસેંજા, રેજિયો એમિલિયા, રિમિની, પેસારો, અર્બિના, એલેસાંડ્રિયા, અસ્તી, નોવારા, વર્બાનો-કુસિયો, ઓસોલા, પાદુઆ, ટ્રેવિસો અને વેનિસમાં લગભગ 1.60 કરોડ લોકો પોચાના ઘરમાં નજરકેદ થયા હતા.
કોરોનાના કારણે લોકોમાં ફેલાયો ભય, નિયમ તોડતાં થશે આટલો દંડ
આવનજાવન માટેની ખાસ સુવિધાઓ જેમકે રેલ, વિમાન અને બસ સેવાઓને અહીં બંધ કરવામાં આવી નથી પણ રેલવે સ્ટેશન અને એરપોર્ટ તથા બસ સ્ટેશને સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈટાલીની સરકારે આદેશ આપ્યો છે કે કોઈએ ક્વારંટીનના નિયમોનું પાલન નહીં કર્યું હોય તો તેને 3 મહિનાની જેલ કે 17 215 રૂપિયાનો દંડ અને બંને પણ થઈ શકે છે.
હોટલમાં કરવામાં આવી છે આ ખાસ વ્યવસ્થા
દેશના બાર અને રેસ્ટોરન્ટ્સ માટે ખાસ નિયમો છે. સરકારી આદેશ અનુસાર એક ટેબલથી અન્ય ટેબલનું અંતર ઓછામાં ઓછું 3 ફીટનું રાખવામાં આવે છે. લોકોને એ પણ સલાહ આપવામાં આવે છે કે તેઓ 3 ફીટનું અંતર રાખીને રહે.
પર્યટકોને આપવામાં આવી છે આ સૂચના
ઈટાલી પહોંચેલા પર્યટકોને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ હવે પાછા જઈ શકે છે. જો તેઓ અહીં વધારે સમય રહેવા ઈચ્છે છે તો તેઓએ અહીંના કોરોના વાયરસ સંબંધિત દિશા નિર્દેશોનું પાલન કરવાનું રહેશે. ઈટાલીએ મુસ્લિમ દેશો અને ચીનથી આવનારા પર્યટકોનું સ્કેનિંગ યોગ્ય રીતે કર્યું નથી. ઈટાલીમાં દુનિયાભરથી રોજના લાખો લોકો ફરવા આવે છે અને સાથે રોજ લાખોમાં આ સંખ્યા હોય છે.
આવું રહે છે ઈટાલીનું હવામાન
ઈટાલીની સીઝન ઠંડી હોવાની સાથે તેમાં ભેજ પણ રહે છે. આસપાસ જળ સ્ત્રોત પણ છે. આ કારણે કોરોના વાયરસ ઠંડીનો ફાયદો લઈને વધારે ફેલાઈ રહ્યો છે. ઈટાલીની સરકારે પહેલાંથી જ હાઈજિન અને સેનિટાઈઝેશનને લઈને કોઈ ખાસ પગલાં લીધા નથી.